SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ આ બધામાં સૌ જિજ્ઞાસુ આરાધકોને સૌથી વધુ આકર્ષણ હતું : અધ્યાત્મયોગી પૂજ્ય આચાર્યશ્રીની વાચનાઓનું. પૂજ્યશ્રીનો મનગમતો વિષય છે : ભક્તિ. આ ચાતુર્માસ દરમ્યાન નમુત્થણે સૂત્ર પરની પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિકૃત લલિત-વિસ્તરા નામની ટીકા પર વાચનાઓ ચાલી. લલિત વિસ્તરા એટલે જૈન-દર્શનનું ભક્તિ - શાસ્ત્ર જ સમજી લો. લલિત-વિસ્તરા જેવો ભક્તિપ્રધાન ગ્રન્થ હોય, પૂજ્યશ્રી જેવા વાચના-દાતા હોય, પાલીતાણા જેવું ક્ષેત્ર હોય, પ્રભુ-પ્રેમી સાધુ-સાધ્વીજી જેવા શ્રોતા હોય, પછી બાકી શું રહે ? આ વાચનાઓમાં પૂજ્યશ્રી પૂરેપૂરા ખીલ્યા હતા. વાચનાઓની આ વૃષ્ટિમાં ભીંજાઈને અનેક આત્માઓએ પરમ પ્રસન્નતા અનુભવી. વધુ આનંદની વાત તો એ છે કે આ વૃષ્ટિ તાત્કાલિક અવતરણ દ્વારા નોટ રૂપ ડેમમાં સંગૃહીત પણ થતી રહી. અમારા જ ગામના રત્ન પૂજય પંન્યાસજીશ્રી મુક્તિચન્દ્રવિજયજી ગણિવર તથા પૂજય ગણિવર્યશ્રી મુનિચન્દ્રવિજયજી દ્વારા આ વાચનાઓનું અવતરણ થયું છે, તે ઘણા જ આનંદની વાત છે. આ પુસ્તકની ઝડપથી પ્રેસકોપી કરી આપનારા પૂ. સાધ્વીજી કુમુદશ્રીજીના શિષ્યા પૂ.સા. કલ્પજ્ઞાશ્રીજીના શિષ્યા પૂ.સા. કલ્પનંદિતાશ્રીજીનું અમે કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીએ છીએ. પુસ્તકના આ કાર્યમાં આર્થિક સહયોગ આપનાર પણ અભિનંદનને પાત્ર છે. પૂજ્ય બંધુ-યુગલ દ્વારા અવતરણ કરાયેલા અન્ય ત્રણ પુસ્તક (કહે, કલાપૂર્ણસૂરિ-૧, કહ્યું, કલાપૂર્ણસૂરિએ-૨, કહે, કલાપૂર્ણસૂરિ-૩) ની જેમ આ પુસ્તક (કહે, કલાપૂર્ણસૂરિ-૪) પણ જિજ્ઞાસુઓ અવશ્ય આવકારશે તેવી શ્રદ્ધા રાખીએ છીએ. આ પુસ્તક વાંચીને પ્રભાવિત થયેલા વાચકોના પત્રોથી અમારા
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy