SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનુભૂતિને પ્રગટાવવા માટે ત્રણ વસ્તુ જોઈએ. (૧) શાસ્ત્ર, (૨) મિથ્યાત્વનો ધ્વંસ, (૩) કષાયની અલ્પતા. બાહ્ય અંધારું સૂર્ય ટાળે, હૃદયનું અંધારું સદ્ગુરુ ટાળે. જ્ઞાનપ્રકાશે રે, મોહ - તિમિર હરે, જેહને સદ્ગુરુ સૂર.’ મનની પાંચ અવસ્થા છે : ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર, નિરુદ્ધ. પ્રથમ તબક્કામાં મન ચંચળ જ રહેવાનું છે. માંકડ અને માકડું આમેય ચપળ છે જ. તમે એને પકડવા પ્રયત્ન કરો એમ તે દૂર ભાગે. પણ એમ સમજીને સાધનાથી દૂર નથી ભાગવાનું. આ સ્વાભાવિક છે, એમ સમજીને સાધનાને મજબૂતીથી પકડવાની છે. યોગશાસ્ત્રમાં મનની ચાર અવસ્થા (વિક્ષિપ્ત, યાતાયાત, સુશ્લિષ્ટ અને સુલીન)ઓનો સમાવેશ આ પાંચમાં થઈ જાય છે. આત્માનુભવાધિકાર ઉપા. શ્રી પૂ. યશોવિજયજીકૃત અધ્યાત્મસાર નારાજ. છે. ક્ષિપ્ત : મૂઢ ઃ વિરુદ્ધ કાર્યોમાં ડૂબી જાય. વિક્ષિપ્ત : બહિર્મુખ મન. સુખમાં રાજી અને દુઃખમાં ત્રીજી અવસ્થામાં સત્ત્વ ગુણની અધિકતા છે. આ ત્રણ દશાથી જે ઉપર ઉઠે છે તે એકાગ્ર અવસ્થા સુધી પહોંચે છે. પવન રહિત સ્થાનમાં દીવાની જ્યોત સ્થિર હોય છે, તેમ અહીં ચિત્ત સ્થિર થઈ જાય છે. નિરુદ્ધ : સંકલ્પ-વિકલ્પોનો સંપૂર્ણ ત્યાગ. આત્મસ્વરૂપમાં લીન બનેલા મુનિઓને આવું મન હોય પ્રથમ ત્રણ ચિત્ત આરાધનામાં ઉપયોગી નથી. ૧૨ *** કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy