SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ 'कटोरे में शराब भरी है तो क्या हुआ ? आखिर तो वह कटोरा सोने का है न ?' આપણો જીવ સોનાનો કટોરો છે. આજે ભલે એમાં શરાબ હોય, પણ એમાં કાલે અમૃત આવશે, એમ જ્ઞાનીઓ જોઈ રહ્યા છે. • પંચવસ્તકમાંથી હું બધું જ નથી કહેતો, જરૂરી વાતો જ કરું છું. ગુરુ, ગચ્છ, વસતિ, સંસર્ગ, ભક્ત, ઉપકરણ, તપ, વિચાર, ભાવના, કથા આ સ્થાનોમાં મુનિ પ્રયત્ન કરે. કૃપા કરીને ગુરુએ પાંચ ચિંતામણિ જેવા પાંચ મહાવ્રતો આપ્યા, તેનું કેમ રક્ષણ કરવું ? અને કેમ સંવર્ધન કરવું ? તે આપણે જોવાનું છે. જ્ઞાતા ધર્મકથામાં પેલી ૪ પુત્રવધુઓ જેવા ૪ પ્રકારના જીવો હોય છે. (૧) કેટલાક ખોઈ નાખનારા (ઉજિઝકા) (૨) કેટલાક ખાઈ જનારા (ભક્ષિકા) (૩) કેટલાક રક્ષા કરનારા (રક્ષિકા) (૪) કેટલાક સંવર્ધન કરનારા (રોહિણી) આપણો નંબર શામાં ? હવે કમસે કમ આટલું કરજો : જેના પણ તમે શિષ્ય બન્યા છો, તે (ગુરુ) તમારા માટે પસ્તાય નહિ : “આવાને ક્યાં દીક્ષા આપી ?' સંવર્ધન ન થાય તો કાંઈ નહિ, કમ સે કમ સુરક્ષા તો કરજો. “રોહિણી' જેવા બનવા કદાચ પુય જોઈએ, પણ રક્ષિકા' બનવામાં તો પુરુષાર્થ જોઈએ, જે સ્વાધીન છે. - લક્ષ્મીનાશના કારણો : ખોવાઈ જાય, લુંટાઈ જાય, ઘરનો મોભી ચાલ્યો જાય, દા.ત. મોતીશા શેઠના ગયા પછી ખેમચંદ શેઠની હાલત છેલ્લે ગરીબ જેવી થઈ ગઈ હતી ! મોતીશા શેઠના ચીન જતા વહાણ પાછળ ચાંચીયાઓ પડ્યા. કહે # # # # # # # # # # # # # ૫૪૫
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy