SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ એસો પંચ નમુક્કારો' પાંચેયને કરેલો નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે. અહીં અરિહંત, સિદ્ધની સાથે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પણ છે. એમને કરેલો નમસ્કાર પણ સર્વ પાપ-પ્રણાશક છે. સાધુના દર્શનથી કેવળજ્ઞાન પણ થાય જ છે ને ? ૦ આજ્ઞાભંગ, અનવસ્થા પછી ત્રીજો દોષ છે : મિથ્યાત્વ.' ભગવાનની નહિ, પોતાની બુદ્ધિથી ચાલવું તે મિથ્યાત્વ છે. ભગવાનથી, ગુરુથી અલગ પાડવાનું કામ મિથ્યાત્વ કરે પોતાનો અલગ વર્ગ ઉભો કરવો, ઈત્યાદિ મિથ્યાત્વનો જ પ્રભાવ છે. ચોથો દોષ : “વિરાધના'. આ ચારેય દોષો ખૂબ જ ખતરનાક છે. સંયમ અને આત્મા : બંનેની આથી વિરાધના થાય છે. અશુભકર્મોનો અનુબંધ પડે છે, જે અનેક જન્મો સુધી ચાલે. મરીચિએ પેલા કપિલને કહેલું : “કપિલ ! ત્યાં પણ ધર્મ છે, અહીં પણ ધર્મ છે.” આ વાક્યમાં આજ્ઞાભંગાદિ ચારેય દોષો આવી ગયા. શશિકાન્તભાઈ : અત્યારે તો આવા એક નહિ, અનેક મરીચિઓ છે, જેઓ કહે છે : ત્યાંય ધર્મ છે, અહીં પણ ધર્મ છે. પૂજયશ્રી : અરે, એથી પણ એ માણસો આગળ વધી ગયા છે. તેઓ તો પોતાને જ ભગવાન તરીકે ઓળખાવે છે. મંત્રમાં અવિધિ જેમ આપત્તિ નોતરે છે, તેમ જિનાજ્ઞામાં અવિધિ આપત્તિ નોતરે છે. વિધિનું આરાધન, અવિધિનો નિષેધ બંને જિનાજ્ઞામાં સમાવિષ્ટ છે. વિધિનું પાલન સમ્યગૂ ન થતું હોય તો કમ સે કમ દિલમાં દર્દ તો હોવું જ જોઈએ. કહે K – * * * * * – – » ૫૧૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy