SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા અંગે કાંઈ જાણવાની ઈચ્છા નથી. શી રીતે મળશે આત્મા કે પરમાત્મા ? આખી દુનિયાને તમે જાણવા ઈચ્છો છો એક માત્ર તમારી જાતને - આત્માને છોડીને. - જૈન દર્શન સાત નયથી શુદ્ધ આત્માને ઓળખાવે સંગ્રહ : એક જ આત્મા છે. સર્વત્ર બ્રહ્મ છે - એવો અદ્વૈતવાદ અહીંથી નીકળ્યો છે. નૈગમ : તમારામાં શુદ્ધતાનો એક અંશ છે. તો પણ હું 'તમને શુદ્ધ આત્મા માનીશ. ચિંતા નહિ કરતા. વ્યવહાર : નહિ, આત્મા કર્મસહિત અને કર્મરહિત એમ અનેક ભેદવાળો છે. હું ભેદમાં માનું છું. ઋજુસૂત્ર : તમારો ઉપયોગ સિદ્ધમાં હોય તો જ સિદ્ધસ્વરૂપી માનું. શબ્દ : આત્મસંપત્તિ પ્રગટાવવાની ભાવના હોય ત્યારે જ માનું. સમભિરૂઢ : કેવળજ્ઞાન થયું હોય તો જ માનું. એવંભૂત : આઠેય કર્મોથી મુક્ત થાવ ત્યારે જ હું માનું. બધા નયો પોતાની દૃષ્ટિએ સાચા છે, સંપૂર્ણ સાચા નથી. હાથીને જોતા ૭ આંધળા જેવા છે. સાતેય ભેગા મળે ત્યારે પ્રમાણ બને. નય સાત છે, પણ આમ તેના ૭૦૦ નો થાય. એવંભૂત નય જ્યાં સુધી આપણને શુદ્ધ આત્મા ન કહે ત્યાં સુધી આપણે સાધનાથી અટકવાનું નથી. એમ નય ભંગ અંગે સતૂરો, સાધના સિદ્ધતારૂપ પૂરો; સાધકભાવ ત્યાં લગે અધૂરો, સાધ્ય સિદ્ધ નહિ હેતુ શૂરો. ( ૧૧ '' તમે સાધના કરો ત્યારે જ પૂરા બની શકો. સંગ્રહ કે નૈગમ નય ૩૩% માં પાસ કરી દે. પણ એવંભૂત નય તો ૯૯%માં પણ પાસ ન કરે. ૧૦૦% જ જોઈએ. જરાય ઓછું નહિ. - સાધ્ય સંગ્રહ નક્કી કરી આપ્યું. તારી સત્તામાં પરમતત્ત્વ ૫૦૮ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy