SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ જિનવાણીને નમન પરમ મંગળ છે. જિનવાણી સમગ્ર વિશ્વને હિતકર છે. એક શબ્દ જિનવાણીમાંથી એવો શોધી બતાવો, જેનાથી કોઈનું અહિત થતું હોય. ચારે - ચાર માતાઓ (વર્ણમાતા, નવકારમાતા, અષ્ટ પ્રવચનમાતા અને ધ્યાનમાતા) જિનવાણીને લગતી જ છે. ચારેય માતાઓની માતા આ જિનવાણી જ છે. | સામાયિકથી બિન્દુસાર (૧૪મું પૂર્વ) સુધી જિનવાણી વિસ્તૃત છે. માતા એને જ કહેવાય જે બાળકનું અહિત નિવારે, એકાન્ત હિત જ કરે. આ માતા શાશ્વત સુખરૂપ પરમહિત કરે છે. માટે લખ્યું : મહાનંદ - તરું સિંચવા અમૃત પાણી.” મહાનંદ એટલે મોક્ષ. મોક્ષ-વૃક્ષને સિંચવા આ જિનવાણી અમૃતની ધાર છે. બાહ્ય તૃષા પાણીથી શમે, પણ અંદરની તૃષા તો જિનવાણીથી જ શમે. પાણી ન પીઓ તો અજીર્ણ થાય, સ્વાથ્ય બગડે, તેમ જિનવાણી ન મળે તો ભાવ - આરોગ્ય બગડે. મહામોહરૂપી પુર (દત્યનું નગર)ને ભેદવામાં આ જિનવાણી ઇન્દ્ર છે. ભયંકર ભવ-અટવીને છેદવામાં કૃપાણી છે, કુહાડી છે. 'कडं कलापूर्णसूरिए' पुस्तक मळ्यु. पूज्यश्रीना प्रवचनोमां अमृत-अमृत ने अमृत ज होय. एमां बीजुं कांई कहेवा जेवू ज नथी. - पंन्यास मुक्तिदर्शनविजय गोरेगांव, मुंबई. ૪૦૨ * * * * * * * * * * * કહે.
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy