SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મોને એકઠા કરવાનું કામ કષાયનું છે. ચારિત્ર કચરો સાફ કરીને આપણને સ્વચ્છ બનાવે છે. કર્મોને સાફ કરવાનું કામ ચારિત્રનું છે. બેમાંથી શું પસંદ કરવું છે ? કષાય કે ચારિત્ર ? વ્યવહાર ચારિત્ર ચુસ્તપણે પાળીએ તો નિશ્ચય ચારિત્ર (ભાવ – ચારિત્ર) પ્રાપ્ત થાય. જેમ સુવર્ણ (સોનું) દ્રવ્ય પાસે હોય તો માલ મળે, તેમ અહીં પણ દ્રવ્ય ચારિત્રથી ભાવચારિત્ર મળે છે. દ્રવ્યચારિત્રમાં ‘દ્રવ્ય કારણ અર્થમાં છે. દ્રવ્ય બે પ્રકારે : (૧) પ્રધાન દ્રવ્ય, (૨) અપ્રધાન દ્રવ્ય. પ્રધાન દ્રવ્ય તે, જે ભાવનું કારણ બને. આપણું ચારિત્ર પ્રધાન દ્રવ્ય હોય તો ભાવચારિત્ર મળ્યા વિના ન રહે. જેમ દીવો સળગાવો ને પ્રકાશ મળ્યા વિના ન રહે. કોડિયું, તેલ, વાટ વગેરે દ્રવ્ય કહેવાય, તેની જયોત ભાવ કહેવાય. આત્મા, આત્મા વડે આત્મામાં શુદ્ધ સ્વરૂપને જુએ, જાણે ને અનુભવે તે અનુક્રમે દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. તપપદ : 'कम्मट्ठमोमूलण - कुंजरस्स, नमो नमो तिव्व - तवोभरस्स ।' કર્મ - વૃક્ષને ઉખેડવામાં તપ હાથી સમાન છે. એ તપ - ધર્મને નમસ્કાર હો ! નમસ્કાર હો ! ચક્રવર્તીનું ચક્ર છ ખંડનો જ વિજય કરે, સિદ્ધચક્ર ત્રણ જગતનો વિજય કરે. ખરેખર ગુરૂદેવ તો ચાલ્યા ગયા, પણ વાણી રૂપી ધોધ તો આપણી પાસે છે. - સા. મુક્તિરસાશ્રી નવસારી ૪૫ * * * * * * * * * * * * કહે.
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy