SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની શ્વાસોચ્છવાસમાં, કરે કર્મનો છેહ...' ઉપાધ્યાય યશોવિજયજી કહે છે : નિશ્ચયથી આપણો આત્મા જ ઉપાધ્યાય છે. કયો આત્મા ઉપાધ્યાય બની શકે ? જે તપ - સ્વાધ્યાયમાં રક્ત હોય, દ્વાદશ અંગનો ધ્યાતા, જગબંધુ અને જગભ્રાતા હોય તે જ ઉપાધ્યાય બની શકે. મુનિચન્દ્રવિજય : બ્રાતા અને બંધુમાં શું ફરક ? ઉત્તર : સગો ભાઈ “ભ્રાતા' કહેવાય. સમાન ગોત્રીય બંધુઓ કહેવાય. એમ ઉપાધ્યાય અહીં માત્ર જગતના બંધુ જ નથી, ભાઈ પણ છે. માટે જ કહ્યું : જગબંધવ - જગભ્રાતા આપત્તિ વખતે મદદ માટે ભાઈ આવે. રામ-લક્ષ્મણ, પાંચ પાંડવોમાં આ જોઈ શકાય છે. છ મહિના સુધી વાસુદેવ, ભાઈનું મૃતક લઈને ફરે. આટલો સ્નેહ હોય. દેવને આવીને સમજાવવું પડે. આવો ભ્રાતૃભાવ અને બંધુ-ભાવ આપણે જગતના જીવો સાથે રાખી શકીશું ત્યારે સાધના વેગવંતી બનશે. - સાધુ પદ : ‘સાદૂUા સંતાસિંગાપ.' દયા-દમનયુક્ત થઈ સંયમની સાધના કરે તે સાધુ. સાધુની વ્યાખ્યા આપણા જીવનની વ્યાખ્યા બનવી જોઈએ. આગમમાં વ્યાખ્યા કેવી ? ને મારું જીવન કેવું ? એમ તુલના કરવી જોઈએ. આ પંક્તિઓના દર્પણમાં સ્વ-જીવન જોવું જોઈએ. સાધુ, આચાર્ય - ઉપાધ્યાય - ગણિ આદિની સેવા કરે. સેવામાં આનંદ માને. પંચ સમિતિ પાળવામાં સાવધાન હોય. ચાલે તો નજર નીચે. - ઈર્યાસમિતિ. બોલે તો ઉપયોગપૂર્વક. - ભાષાસમિતિ. વસ્તુ લે - મૂકે તો મુંજવાપૂર્વક - આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ. વહોરે તો ગવેષણાપૂર્વક - એષણા સમિતિ. પરઠવે તો જયણાપૂર્વક – પારિષ્ઠાપનિકા સમિતિ, ૪૩૦ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy