SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ જવું છે મોક્ષમાં ? શી રીતે જઈશું મોક્ષમાં ? એ માટેની કોઈ સાધના નથી. સાધના નથી, એનું કોઈ દુઃખ પણ નથી. બહિરાત્મભાવ છોડીને અંતરાત્મભાવમાં પણ આપણે આવવા તૈયાર નથી તો પરમાત્મભાવ મેળવવાનો અધિકાર કયા મોઢે કરી શકીએ ? ક્યારેય પ્રભુ માટે તડપન જાગી ? ક્યારે પ્રભુનો વિરહ લાગ્યો ? વિરહ વિના પ્રભુ કેમ મળે ? આનંદઘનજીના પદો - સ્તવનો વાંચો. વિરહ વેદના છલકાતી દેખાશે. પ્રશ્ન : સંયોગ થયો હોય તો વિરહ લાગે... પણ પ્રભુનો સંયોગ જ ક્યાં થયો છે ? ઉત્તર : આ જ આપણી ભૂલ છે. પ્રભુ તો સદા સાથે છે જ, પણ આપણે કદી તે તરફ જોયું જ નથી. બોલો, ક્યારેય નિર્મળ આનંદ નથી આવ્યો ? આનંદ પ્રભુ વિના શી રીતે આવી શકે ? એ આનંદ મેળવવા કદી તડપન જાગી ? અંધકારમાં રહેલો માણસ ક્યારેક પ્રકાશનું એકાદ કિરણ જુએ તો તેને ફરી મેળવવા અવશ્ય લલચાવાનો ? જેમ પેલો સેવાળમાં રહેલો કાચબો, શારદી પૂનમનો વૈભવ ફરી જોવા લલચાયેલો. - બધા ધોબીઓ તમારી કપડા ધોવાની કળા પાસે હારી જાય, એટલા સફેદ કપડા તમે ધોઈને કરી શકો છો. આ કળા હસ્તગત થઈ ગઈ, પણ આત્મા, જે અનાદિકાળથી મલિન છે, તેની શુદ્ધિ કરવાની કળા હસ્તગત કરવા જેવી છે, તેવું કદી લાગ્યું ? ૦ આયંબિલમાં બે આગાર વધુ : (૧) ઉષ્મિત્ત વિવેગેણં, (૨) પડુચ્ચમખિએણે કોઈ વખતે એકાસણાના આહાર સાથે આયંબિલનો આહાર આવી જાય તો થોડા સ્પર્શથી દોષ ન લાગે. તેલ કે ઘીવાળા હાથથી રોટલી માટેનો લોટ તૈયાર કરે ૪૦૪ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy