SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ કંઈ ખામી છે. ભગવાન જેવી જ વાણી લાગે. માથે ભગવાનનો હાથ છે ને ? એ તો ઠીક. કાલિકાચાર્યે પણ સીમંધર સ્વામી જેવું જ નિગોદનું વર્ણન બ્રાહ્મણ વેષધારી ઈન્દ્ર સમક્ષ કરેલું. મોહનો ક્ષય થયેલો ન હોવા છતાં મોહ-વિજેતા હોવાના કારણે ગુરુ વીતરાગ તુલ્ય કહેવાય છે. ચાર પ્રકારના કેવલી ૧. કેવલી. ૨. ૧૪ પૂર્વી - શ્રુતકેવલી ૩. સન્ દૃષ્ટિ, ૪. ભગવાનના વચન પ્રમાણે આચરણ કરનાર (કંદમૂળ આદિ છોડનાર) ગઈ કાલે ભગવતીમાં આવેલું : અંધક પરિવ્રાજકને શ્રાવકે એવા પ્રશ્નો પૂછળ્યા કે પરિવ્રાજક મુંઝાઈ ગયો ને પ્રશ્નો જાણવા ભગવાન મહાવીર પાસે આવ્યો. ગૌતમસ્વામી તે આવતાં ઊભા થયા. મિથ્યાત્વી આવતાં ઊભા કેમ થવાય ? ટીકામાં ખુલાસો આપતાં કહ્યું છે : ભાવિમાં દીક્ષા લેવાનો છે માટે થવાય. સમ્યમ્ દષ્ટિ એ જ અર્થમાં કેવલી છે. ભવિષ્યમાં બનવાના છે માટે. કંદમૂળત્યાગી પણ કેવળી છે. કારણ કે ભગવાનના વચન પર શ્રદ્ધા રાખીને તેમણે કંદમૂળનો ત્યાગ કર્યો છે. આ સમ્યમ્ દષ્ટિની પૂર્વભૂમિકાનો આત્મા છે. પ્રશ્ન : ગુરુ ભગવાન છે, માટે દેરાસરમાં જવાની જરૂર નહિ ને ? ઉત્તરઃ ભગવાન ન હોત તો ભગવદ્ બુદ્ધિ શી રીતે કરત? અમૃત જ ન હોત તો પાણીમાં અમૃત બુદ્ધિ શી રીતે થાત? ભગવાન છે માટે ભગવદ્બુદ્ધિ શબ્દ આવ્યો છે. ભગવાન જ છોડી દઈશું તો ભગવદ્બુદ્ધિ કઈ રીતે રહેશે ? ૩ ૬ ૪ * * * * * * * * * * * *
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy