SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનનો દાસ ન બને તેને દુનિયાના દાસ બનવું પડે. (૩) સેવક : સેવને રૂતિ સેવઃ | સેવા કરે તે સેવક. પ્રભુ ચરણની સેવા શી રીતે થઈ શકે ? ચંદનાદિથી પૂજા કરવી તે દ્રવ્ય સેવા છે. આજ્ઞાપાલન, વિરતિનો સ્વીકાર તે ભાવ સેવા છે. “ચરણ”નો બીજો અર્થ ચારિત્ર થાય છે. ચારિત્રનું સેવન કરવું તે પણ ચરણ-સેવા કહેવાય. આજ મારા પ્રભુજી સામું જુઓને, સેવકકહીને બોલાવો રે આ સ્તવનમાં જ્ઞાનવિમલસૂરિજીએ આ જ ભાવ દર્શાવ્યો (૪) હિંમર: વિંજ રોકિ ? માહિતુ મવાના (રૂતિ ય: સ્વામિનં પૃતિ સ વિર: 1) પ્રખ્ય આદિ બધા કરતાં કિંકરપણું કઠણ છે. ભગવદ્ ! હવે શું કરું ? આદેશ આપો. આવો ભાવ જેનામાં હોય તે કિંકર છે, ભગવાનનો આદેશ – આજ્ઞા આગમોમાં જણાવેલા છે. તદનુસાર જીવન જીવે અથવા જીવવાનો પ્રયત્ન કરે તે “કિંકર' કહેવાય. ? જ્યારે ડીસામાં ચાતુમસ આપની સાથે હતા ત્યારે તો ખરેખર આપ બંધુ બેલડીને ઓળખી ન શક્યા. પણ આ પુસ્તક તો આપની સાચી ઓળખ કરાવી છે. - સા. દિવ્યદર્શિતાશ્રી : માંડવી મારું હૈયું સંકલનકાર બંધુબેલડી પૂ.પં. મુક્તિચંદ્રવિ. મ. તથા પૂ. ગે. મુનિચંદ્રવિ. મ. સા. ને અંતરના અહોભાવની અંજલિનું અર્પણ કરે છે. - સા. નીલપદ્માશ્રી : જામનગર પૂજયશ્રીની વાચનાના અણમોલ, ટંકશાળી વચનો મનમાં ચૂંટાયા કરે છે. - સા. નચદર્શિતાશ્રી : જામનગર * * * * * * * * * * * * ૩૩૦
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy