SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ તમારે જે જોઈએ છે તે મેળવો. મોક્ષ પણ અહીં જ મેળવો. જે અહીં મોક્ષનું સુખ નહિ મેળવી શકે તે પરલોકનો મોક્ષ નહિ મેળવી શકે. આપણે પરલોકની આશામાં બેઠા છીએ : મુક્તિ ત્યાં મળશે. પણ અનુભવીઓ કહે છે : પહેલા અહીં મોક્ષ પછી ત્યાં મોક્ષ. અહીં નહિ તો ત્યાં પણ નહિ. - હું દીક્ષા લેવા તૈયાર થયો ત્યારે ઘરના અમુક વડીલો કહેતા : અક્ષય ! તમે તો મહાન શ્રાવક આનંદ અને કામદેવથી પણ વધ્યા. તેમણે પણ દીક્ષા નહોતી લીધી, તમે લેવા તૈયાર થયા છો. એવા તમે કયા મોટા ? ઘેર રહી સાધના નથી થતી ? શાસ્ત્રીય વાતનો પણ માણસ કેવો દુરુપયોગ કરે છે ? શાસ્ત્રમાંથી પણ પોતાને અનુકૂળ તર્ક માણસ કઈ રીતે શોધી કાઢે છે ? તેનો આ નમૂનો છે. • શશીકાન્તભાઈ : આપની સાથે મોક્ષમાં જવાનો સંકલ્પ છે. ઉત્તર : સાથે શા માટે ? મારાથી પણ પહેલા જાવ. પૂ. હેમચન્દ્રસૂરિજીએ કુમારપાળને પોતાનાથી પહેલાં મોક્ષમાં મોકલ્યા. પણ, મોક્ષ વખતે જ સાથ કેમ ઈચ્છો છો ? અત્યારે જ સાથ લઈ લો ને ? કોણ ના પાડે છે ? સાધુતા વિના સિદ્ધિ નથી એ તો જાણો છો ને ? સાધુ બન્યા વિના સિદ્ધ શી રીતે બનાશે ? ૦ આરાધના - સાધના સારી થઈ છે, તે શી રીતે જાણી શકાય ? મનની પ્રસન્નતાથી. પ્રસન્નતા વધે તે સાચી સાધના. • પૂ.પં. ભદ્રંકરવિ. ને “ધ્યાનવિચાર' નામનો અલભ્ય ગ્રંથ સ્વજન્મભૂમિ પાટણમાં જ મળ્યો. પૂ.પં. ભદ્રંકરવિ., અમૃતભાઈ કાળીદાસ વગેરેએ સાથે મળીને તે “નમસ્કાર સ્વાધ્યાય” ગ્રંથમાં પ્રકાશિત કર્યો. ધ્યાનવિચાર' ગ્રંથ પ્રકાશિત કરીને પૂ.પં. મ.સા.એ ખૂબ જ ઉપકાર કર્યો છે. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * 4 * * * * * * * * * ૩૨૩
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy