SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તહૃદયી પેદા થાય ત્યારે તેને કામ લાગે માટે રચાયા છે. ‘વીતરાગ છે’ એમ કહીને તમે ભોળાને ભલે સમજાવો, પણ હું ન સમજું. મારે તો આપની પાસેથી જ મેળવવું છે. આપ જ આપશો. આ મારી બાળ-હઠ છે.' ભક્તની આ ભાષા છે. ભગવાન પાસે બાળક બની જાવ. ભગવાન તમારા છે. ભગવાનને મેળવવા બાળક બનવું પડે. વિદ્વાનોનું અહીં કામ નથી. આપણી ચેતના બીજે ગોઠવાયેલ છે, માટે જ પ્રભુ મળતા નથી. ધ્યાન પદસ્થ પ્રભાવથી, ચાખ્યો અનુભવ સ્વાદ.' માનવિજયજી ઉપાધ્યાય. પદ્મપ્રભ સ્તવન - ‘પદસ્થ’ એટલે નામરૂપ પદનું ધ્યાન. કર્મક્ષયથી મળતી વિદેહમુક્તિ છે. ભક્તિથી આ જ જીવનમાં મળતી મુક્તિ તે જીવન્મુક્તિ છે, ભક્ત એવી મુક્તિ અહીં જ અનુભવે છે. આ કાળમાં ન હોવા છતાં ભક્તને ભગવાને આ મુક્તિ (જીવન્મુક્તિ) આપવી પડે છે. પછી ભક્ત ખુમારીથી કહી ઉઠે છે ઃ હવે મને મોક્ષની પણ પરવા નથી. ‘મોક્ષોસ્તુ વા માસ્તુ' મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી...’ આ કાળમાં પણ ભક્તિ મુક્તિને ખેંચી શકે છે. ભક્ત બની જુઓ. મીરાં, નરસી વગેરેને એમના ભગવાન મળે તો આપણને ન મળે ? યશોવિજયજી મ.ને મળે તો આપણને ન મળે ? તીર્થ છે ત્યાં સુધી તીર્થંકરને આંતરિક દેહથી અહીં રહેવું જ પડે છે, નામાદિથી રહેવું જ પડે છે. ‘નામાઽવૃત્તિ દ્રવ્યમવૈ:' ચાર રૂપથી ભગવાન સર્વત્ર સર્વદા સર્વને પવિત્ર કરી રહ્યા છે, એમ હેમચન્દ્રસૂરિ એમને એમ તો નહિ કહેતા હોય. કહે કલાપૂર્ણસૂરિ-૧ * ૨૦૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy