SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. કનકસૂરિજી નિઃસ્પૃહશિરોમણિ હતા. પ્રસિદ્ધિ વગેરેની કોઈ અપેક્ષા નહોતી. ધારત તો ઘણા શિષ્યો કરી શકત, યોગ્યતા ન જણાતાં તેઓ વેગળા જ રહ્યા. • મદ્રાસમાં રશિયાનો તત્ત્વજિજ્ઞાસુ આવેલો. એ માટે એ હિન્દી શીખીને આવેલો. મોહનલાલજી ઢઢ્ઢા, ખરતર ગચ્છના પ્રમુખ તેને લઈ આવેલા. “મુદ્દે તત્ત્વજ્ઞાન શીવના હૈ !' એની વાત જાણીને તત્ત્વજ્ઞાન - પ્રવેશિકાનો ૧લો પાઠ શીખવાડ્યો. ખૂબ જ રાજી થયો. તમને આવી જિજ્ઞાસા ખરી ? અમારી પાસે શા માટે આવો છો ? ધંધો સારો ચાલે, તબિયત સારી રહે માટે ? - ત્યાગ, વૈરાગ્ય, કરુણા, ભક્તિ, મૈત્રીના સંસ્કારો ગાઢ બનાવ્યા વિના ભવાંતરમાં સાથે નહિ આવે. માટે જ રોજ એ બધાના સંસ્કાર ઘટ્ટ કરવાના છે. બીજા જીવોનું ક્ષાયિક સમ્યત્વ હોય તોય વરબોધિ' ન કહેવાય. ભગવાનનું ક્ષાયોપથમિક સભ્યત્વ પણ વરબોધિ' કહેવાય. એ પરોપકાર અને કરુણાના કારણે જ. આવા કરૂણાશીલ ભગવાન બીજે કયે સ્થળે મળવાના ? તેઓ પટુ, અભ્યાસ અને આદરથી વૈરાગ્યાદિને સંસ્કાર આપીને એવા ઘટ્ટ બનાવે છે કે ભવાંતરમાં પણ સાથે આવે. પં. ભદ્રંકરવિ. મને પૂછ્યું : નવકારને જ તમે કેમ પકડ્યો ? પં. મ. કહેતા ? આ બધા સૂત્રો, વિધિ, વિધાનો જોઈએ, ત્યારે એમ થાય કે આમાંનું બધું જીવનમાં ક્યારે ઉતારીશું ? સૂત્રથી પણ નહિ તો અર્થથી કે તદુભયથી શી રીતે ઊતારી શકીશું ? એટલે મેં વિચાર્યું ઃ બધું તો નહિ પકડી શકાય, એક નવકાર બરાબર પકડી લઈએ તોય તરી જઈએ. આથી એક નવકાર બરાબર પકડ્યો. ૦ પટુ, અભ્યાસ અને આદર આ ટાણે ય (વૈશેષિકદર્શન પ્રથમ પાદ) જૈનેતરો માને છે, પણ મતિજ્ઞાનના પ્રકારોરૂપે આપણને પણ તે માન્ય છે, એમ જંબૂવિ.મ. એ _ળos ? ૨૧૬ * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy