SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ એનાથી પણ આગળ વધીને ગુરુ પ્રભુ સાથે મિલન કરાવી આપે છે. લોચ – વિહારાદિ દ્વારા મેળવેલી સહનશીલતા જીવનભર કામ લાગે. પછી નાનકડું દુઃખ વિચલિત ન કરી શકે. ૦ ભક્તિ : આપણે જૈન સાધુ તરીકે ઓળખાઈએ છીએ. જૈન એટલે જિનનો સાધુ ! જે ભગવાનથી આપણે ઓળખાઈએ એ જ ભગવાનને ભૂલી જઈએ તો કૃતઘ્ન ન કહેવાઈએ ? સાધુ કોઈપણ ઘરે વહોરવા જાય, કોઈ ચાર્જ નહિ, સુલભતાથી ગોચરી આદિ મળી જાય, એ કોનો પ્રભાવ ? ભગવાનનો ! એ ભગવાનને ભૂલાય શી રીતે ? ભગવાન વિદ્યમાન હતા ત્યારે પણ લોકો પોતાના હૃદયમાં તેમનું નામ જ રાખતા હતા, સ્થાપના દ્વારા જ ઉપાસના કરતા હતા. ભગવાન મોક્ષે ગયા પછી પણ નામ અને સ્થાપનામાં કોઈ ફરક નથી પડ્યો. એ તો એના એ જ છે. એની કલ્યાણકારકતા પણ એની એ જ છે. ભગવાન પ્રત્યે ભક્તિ ન જાગતી હોય તો માનવું કે હું દીર્થસંસારી છું. અલ્પકાલીન સંસારવાળાને ભગવાન ગમે જ. અલ્પકાળમાં જે સ્વયં ભગવાન બનવાનો છે, એને ભગવાન ન ગમે એ શી રીતે ચાલે ? ભગવાન ને ગમે તે ભગવાન બની શકે નહિ. યશોવિ. જેવા તો ત્યાં સુધી કહે છે : મુક્તિથી પણ મને ભક્તિ પ્યારી છે. જયાં ભક્તિ ન હોય એવી મુક્તિથી મારે શું કામ છે ? ભક્ત સર્વ જીવમાં પણ ધીરે-ધીરે ભગવાન જુએ છે. આજે નથી, પણ કાલે એ ભગવાન બનવાનો જ છે. જીવ શિવ જ છે. આજનું બી, કાલનું વૃક્ષ છે. માળી બીમાં વૃક્ષ દેખે છે. ભક્ત જીવમાં શિવ જુએ છે. यत्र जीवः शिवस्तत्र, न भेदः शिवजीवयोः । न हिंस्यात् सर्वभूतानि, शिवभक्ति-समुत्सुकः ॥ - અન્ય દર્શન કહે મ મ મ મ મ ઝ ઝ * * * * * * ૧૦૯
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy