SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનના દર્શન થાય, ભગવાનના આગમોમાં પણ ભગવાનના દર્શન થાય, તો કામ થઈ જાય. . 'मन्त्रमूर्ति समादाय देवदेवः स्वयं जिनः । सर्वज्ञः सर्वगः शान्तः सोऽयं साक्षाद् व्यवस्थितः ॥' પદ્યાનુવાદ : પ્રભુ મૂર્તિમાં છે શું પડ્યું ? છે માત્ર એ તો પત્થરો, પ્રભુ-નામમાં છે શું પડ્યું ? છે માત્ર એ તો અક્ષરો !” એવું કહો ના સજ્જનો, સાક્ષાત્ આ ભગવાન છે, નિજ નામ મૂર્તિનું રૂપ લઈ, પોતે જ અહીં આસીન છે !! (હરિગીત) શિષ્યોએ ઊંઘમાં ખલેલ પાડી એના કારણે એક આચાર્યું આગમોની વાચના આપવી જ બંધ કરી. આટલા મોટા આચાર્યને પણ મોહ પ્રભુ અને પ્રભુનામ ભૂલાવી દે તો આપણે કોણ ? અહીં દર્શન મોહનીયનું આક્રમણ થયું. મોહનીય કર્મ તમને તમારી જાત જણાવવા દેતો નથી, તો ભગવાનને ક્યાંથી જાણવા દે ? નામ યુક્ત જ સ્થાપના, દ્રવ્ય અને ભાવ હોય. નામ વગરના શેષ ત્રણ નિક્ષેપ ન હોઈ શકે. મૂર્તિ સામે છે. પણ કોની છે ? મહાવીરસ્વામીની. “મહાવીરસ્વામી' આ નામ તેમની મૂર્તિ સાથે જડાયેલું હોય જ. શહેરમાં તમે જાવ ને કોઈને તમે મળવા માંગો છો, પણ નામ જ ભૂલાઈ ગયું છે તો તમે શી રીતે મળી શકશો ? શી રીતે પૂછી શકશો ? નામ વ્યક્તિની ઓળખમાં સહાયક છે. સામાન્ય વ્યક્તિનું નામ પણ આટલું મૂલ્યવાન હોય તો ભગવાનના નામના મૂલ્યની તો વાત જ શી કરવી ? ભગવાનના દર્શન, માત્ર દર્શન ખાતર નથી કરવાના, ભગવાન થવા માટે કરવાના છે. ભગવાન ક્યારે બની શકાય ? ભગવાન કેવા છે ? વીતરાગ ભગવાન રાગ-દ્વેષ વગરના છે. આપણે પણ તેવા બનવાનું છે, એ ખ્યાલ હોવો ઘટે. ૧૬૪ * * * * * * * * * * * * * કહે :
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy