SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર નામકર્મ ખપાવવા કર્યું.” પણ એ વાક્ય આપણને જરાય ન શોભે. એમનો નય (દષ્ટિકોણ) આપણે પકડી લઈએ તો કૃતજ્ઞ બની જઈએ. “જેહ ધ્યાન અરિહંત કો, સો હી આતમધ્યાન.” આ શ્વેતાંબર સંઘની પ્રણાલિકા છે. આત્મ ધ્યાન નહિ, પ્રભુનું ધ્યાન કરું છું, એમ જ બધા કહેશે. હરિભદ્રસૂરિ કહે છે : હું ભગવાનને ઇચ્છાયોગથી નમસ્કાર કરું છું : “નમસ્કાર હો !' નમસ્કાર કરનાર હું કોણ ? ઉત્તમમાં ઉત્તમ તક મળે, આરાધનાના અવસરો મળે તે કોના પ્રભાવે ? ભગવાનના જ પ્રભાવે. બાકી શરીરનો શો ભરોસો ? હમણાં જ મુન્દ્રાથી સમાચાર આવ્યા છે કે એકનું B.P Down થઈ ગયું છે. ક્યાં છે આપણા હાથમાં બધું ? નૈગમન ભગવાનનો નમસ્કાર માને. નોકરે ઘોડો ખરીદ્યો, પણ ગણાય કોનો ? શેઠનો જ. પરમાત્માનું ધ્યાન કરતાં આત્મધ્યાન આવવાનું જ છે. * ભોજનમાં ભૂખ ભાંગવાની શક્તિ જ ન હોય તો ભૂખ ભાંગે ? ફોતરા ખાવાથી ભૂખ ભાંગે ? ભગવાનમાં મોક્ષ આપવાની શક્તિ જ ન હોય તો મોક્ષ આપે ? બોધિ અને સમાધિ' તમને ભક્તિથી મળ્યા. તમે ભક્તિ કરી એટલે મળ્યા કે ભગવાને આપ્યા ? ભગવાનના સ્થાને બીજાની ભક્તિ કરો... બોધિ-સમાધિ નહિ મળે. હરિભદ્રસૂરિજીએ બધા જ દર્શનોનો યોગદૃષ્ટિ સમુચ્ચયમાં સમાવેશ કરીને જાણે કહ્યું : જૈન દર્શન તો બધા જ દર્શનોને પીને બેઠું છે ! જ પ્રશ્ન : “જયવીયરાયમાં” માગનુસારી વગેરે માંગવામાં આવ્યા, પણ જેને તે મળી ગયું છે તે શું કામ જયવીયરાય' બોલે ? ૬-૭ ગુણઠાણે રહેલો સાધુ... તેને માર્ગાનુસારિતાથી શું કામ ? ઉત્તર : એ ગુણોને નિર્મળ કરવા. ૧૩૬ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy