SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદાહરણો છે, જેમ કે અંગારમક, વિનયરત્ન વગેરે. માનો કે શિષ્યમાં વિરતિના પરિણામ પહેલા જ ઉત્પન્ન થઈ ગયા છે, તો વિધિ-વિધાનની જરૂર શી ? અને પરિણામ નથી થયા તો બધું જૂઠું છે. મૃષાવાદનો દોષ લાગે. ન હોય છતાં કહેવું તે જુદું જ ને ? ઉત્તરઃ વિરતિનું પરિણામતે જ પ્રવ્રજયાતે તમારી વાત સાચી છે. પણ તેનું મુખ્ય-પુષ્ટ સાધન આ વિધિ-વિધાન છે. સારું ખાતર વગેરે બધું જ હોવા છતાં ખેતી નિષ્ફળ ન જ જાય, એવું થોડું છે ? વેપારમાં નુકશાની ન જ જાય, એવું થોડું છે ? છતાં ખેતી-વેપાર કોઈ બંધ કરે છે ? મોટા ભાગે આ વિધિ-વિધાન વિરતિના પરિણામ લાવવામાં સહાયક બને છે. ઓઘો લેતી વખતે કેટલો આનંદ - ઉમંગ હોય છે, તે અનુભવ-સિદ્ધ છે. (પ્રશ્ન : ઓઘો લેતી વખતે કેટલું નાચવું ? ઉત્તર : થોડુંક જ. આજે તો પડી જવાય તેટલું નાચે. આ કાંઈ નૃત્યસ્ટેજ છે ?) લગ્ન પછી જેમ પતિ-પત્નીરૂપે દંપતી સમાજ-માન્ય બને છે, તેમ દીક્ષા વિધિ પછી સાધુ રૂપે સમાજ-માન્ય બને છે. સોગંદ વિધિ લીધા પછી જ “મંત્રી કહેવાય. રીઝર્વ બેંકની સહી પછી જ “રૂપિયો' કહેવાય. તેમ દીક્ષાવિધિ પછી “સાધુ' કહેવાય. તેના કાર્યથી, તેની પરિણતિથી તેના પરિણામ જાણી શકાય. તેને સ્વયંને થાય : “હું હવે વિધિપૂર્વક સાધુ થયો છું. મારાથી હવે અકાર્ય ન જ થાય.' આ બધું તો પ્રત્યક્ષ જોવા મળે છે. આથી જ નૂતનદીક્ષિતને તે જ વખતે સમસ્ત સંઘ વંદન કરે છે; કદાચ ભાવથી પરિણામ ન જાગ્યા હોય તો પણ. વ્યવહાર-માર્ગ આ રીતે જ ચાલે. આ વંદનથી, વંદન લેનારની પણ જવાબદારી વધી જાય : આ બધા જ મને વંદન કરે છે, તો હવે મારે તેને અનુરૂપ જીવન જીવવું જોઈએ. - ભરત વગેરેના ઉદાહરણો અહીં ન લેવાય. એ કદાચિત્ક ૧૩૦ * * * * * * * * * * * કહે.
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy