SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ આઝાદી પહેલાં અને પછી તતંત્રરચના ઊભી કરવાના ખ્યાલ ઊભા થયા હતા. એ ઉપરાંત નાનામાં નાનાં કાર્યાન્વિત એકમને અનુદાન આપીને વધારે કાય`શીલ કરવાના ખ્યાલ પણ ઊભા થયા હતા. ગામડાંને પણુ આ યોજનાઓને સવિશેષ લાભ મળે તે રીતે સાંકળીને ઘટતુ કરવું જોઈએ એવી વિચારણા થવા માંડી. આના પરિપાકરૂપે ૧૯૫૩ માં કેંદ્રીય સમાજ કલ્યાણ મે'ની સ્થાપના થઈ અને એના અનુસંધાનમાં એક સમિતિ નીમવામાં આવી તેણે સમગ્ર રાષ્ટ્રને પ્રવાસ કરી, કાય`કરોની મુલાકાત લઈ હેવાલ તૈયાર કર્યાં, જેને આધારે પ્રત્યેક રાજ્યમાં ‘સમાજ-કલ્યાણ ખાડ’ની રચના થઈ. ૧૯૫૩ સુધી ઘણુ ંખરું મેટાં શહેરમાં કામ થતુ હતુ. એને બદલે ૧૯૫૪ થી ગુજરાતનાં ગામડાંએમાં પણ એ પ્રકારનું કાર્ય શરૂ કર્યુ. ખાસ કરીને ખાલવાડી પ્રૌઢ શિક્ષણ સમાજ શિક્ષણ આરોગ્ય સેવા ઇત્યાદિ કાર્યાં ગામડાંઓની નાની નાની સામાજિક સસ્થાઓએ તેમજ અન્ય સેવામ`ડળાએ ઉપાડી લીધાં. ગામડાંઓને ઉપયોગી સેવા પૂરી પાડતી ખીજી આગળ પડતી સંસ્થા તે ગુજરાતમાં સ્થપાયેલ ‘કસ્તૂરબા વિદ્યાલય.’ સમાજકલ્યાણની પ્રવૃત્તિને ગામડાંઓમાં વેગવંતી બનાવવા માટે ગ્રામપ્રશ્નો સમજી ગામડાંમાં રહેવા તૈયાર હોય તેવી તાલીમબદ્ધ ગ્રામસેવિકાઓ જરૂરી હતી. આ વિદ્યાલય મહેતાને આ પ્રકારની તાલીમ આપે છે. કસ્તૂરબા સ્મારક નિધિ'ના ઉદ્દેશ ગામડાંઓની બહેને માટે કાંઈક કામ થઈ શકે તેવા હોવાથી આ પ્રકારની તાલીમ પાછળને હેતુ અમુક અંશે ફલિત થાય છે. સ્વતંત્ર ભારતમાં સામાજિક સેવા સ ંસ્થાઓની સંખ્યામાં ભરતી અને થોડીક વિવિધતા પણ આવી. સ્ત્રી બાળકો વિધવા પતિતા વિકલાંગ અનાથ પછાત માટે કાય કરતી અનેક પ્રકારની સામાજિક સંસ્થાએ સામાજિક સુધારણા અને જનકલ્યાણ માટે રચાઈ હતી. કેટલીક સ ંસ્થાઓ સત્યાગ્રહના આંદોલન દરમ્યાન, ખાસ કરીને સ્ત્રીઓ તથા પછાત વર્ગોના ક્લ્યાણ અથે, અસ્તિત્વમાં આવી હતી. કેટલીક સંસ્થાએ સામાજિક પ્રશ્નો હલ કરવા અને સમાજને કેટલીક વિશિષ્ટ સેવા પૂરી પાડવા માટે ઉદ્દભવી હતી. સ્વત ંત્ર ભારતમાં આ સવ` સ ંસ્થાએનું કામ ચાલુ હતું, પર ંતુ એએના અભિગમમાં ડુ` પરિવતન આવ્યું હતું. કાયકરાના વલણમાં મૂળભૂત તફાવત એ આવ્યો કે એમને કામ કરવાના જુસ્સા નરમ પડયા. સ્વરાજ્યપ્રાપ્તિથી જાણે કે સામાજિક ક્રાંતિ પણ હાંસલ થઈ ગઈ અથવા થઈ જશે એવા ભ્રમ કેટલાંકના મનમાં ઊભો થયા, જેને પરિણામે સુધારા કરવા માટેના અથવા કાય" કરવાના જુસ્સામાં શિથિલતા આવી. સંસ્થા પહેલાં જે સ્વનિભર અથવા લાઆધારિત હતી તેને બદલે વધારે ને વધારે સરકારી સહાય ઉપર
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy