SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ૨ રાજકીય ઇતિહાસ પ્રકરણ ૨ અંગ્રેજોના ગુજરાત સાથેના પૂર્વ–સંપર્ક ૧ ગુજરાતમાં પ્રવેશ અને વેપારને વિસ્તાર ફિરંગીઓ અને વલંદાઓના ભારત વગેરે પૂર્વના દેશો સાથેના ધીક્તા વેપારથી પ્રેરાઈને ઈ. સ. ૧૬૦૦ માં અંગ્રેજોએ પણ એ પ્રજનથી “ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. એનું પહેલું વેપારી વહાણ ઈ. સ. ૧૬૦૮ માં સુરત બંદરે લાંગર્યું ત્યારથી અંગ્રેજોના ગુજરાત સાથેના સંપર્કને આરંભ થયે. સુરત બંદરે આવેલા અંગ્રેજોને ફિરંગીઓની ચડવને લઈને મુઘલ બાદશાહ તરફથી કોઠી સ્થાપવાની પરવાનગી ન મળી તેથી તેઓએ સુરતની નજીકના સુંવાળી બંદરે વહાણ લાંગરી ત્યાંથી વેપાર કરવા માંડયો. ૧૬૦૮ થી ૧૬૧૨ દરમ્યાન તેઓને ફિરંગીઓ સાથે વારંવાર અથડામણ થઈ, પણ ૧૬૧૨ માં અંગ્રેજ કેપ્ટન બેસ્ટ સુંવાળી ખાતે ફિરંગીઓને હરાવી પિતાની શક્તિને પર આપે, આથી સુરતના મુઘલ ફોજદાર તરફથી અંગ્રેજોને સુરતમાં આવકાર મળે. થડા વખતમાં બાદશાહ જહાંગીર તરફથી ત્યાં કેઠી સ્થાપવાને શાહી પરવાને પણ આવી ગયે (૧૩–૧૦-૧૬૧૩). એ કઠીને પહેલે વડો ટોમસ એલ્ડવર્થ હતે. પિતાનાં વેપારી બેય સિદ્ધ કરવા માટે અંગ્રેજોએ સુંવાળી બંદરના બારામાં ફિરંગીઓને ભારે શિકસ્ત આપેલી તેથી ફિરંગીઓને દીવ ભાગી જવું પડયું હતું. આ વિજ્યથી મુઘલે તેમજ હિંદી વેપારીઓ પર અંગ્રેજો સારે પ્રભાવ પાડી શક્યા. ૧૬૧૩ થી ૧૬૧૮ ના ગાળા દરમ્યાન એમણે ગુજરાતમાં વેપારને વિસ્તાર કરવા માટે ખંભાત ભરૂચ વડોદરા અને અમદાવાદમાં સુરતની કઠીની શાખાઓ સ્થાપી દીધી. દરમ્યાનમાં ઈગ્લેન્ડના રાજાના એલચી તરીકે ઈ. સ. ૧૬૧૫ માં જહાંગીરના દરબારમાં આવેલા સર ટોમસ એ બાદશાહ પાસેથી દેશનાં જુદાં
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy