SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં પુરતાનાં પગરણ ૧૮૭૮ બ્રિટિશ સરકારે ભારતીય ભૂમિગત ભંડારપ્રાપ્તિ અધિનિયમ બહાર પાડ્યો ૧૮૮૧ થી ત્રણ વર્ષ માટે મેજર કૅલિની પુરારક્ષણને ખાસ અધિકારી તરીકે નિમણૂક થઈ. ૧૮૮૧ વૈનના આગ્રહથી ભાવનગરના મહારાજાએ પિતાના રાજ્ય માટે પુરાતત્વ ખાતાની સ્થાપના કરી. ૧૮૮૨-૮૩ મેજર કેલે સ્મારકોને ત્રણ વર્ગોમાં વહેંચ્યાં. એમનું કરેલું વર્ગીકરણ ૧૯૧૯ સુધી અમલમાં રહ્યું. ૧૮૮૩ અભિલેખવિ તરીકે ફલીટની નિમણૂક ૧૮૮૩-૮૪ બજેસે ચાંપાનેર જોળકા તથા અમદાવાદનાં મુસ્લિમ સ્થાપત્યનું રક્ષણ-સર્વેક્ષણ કર્યું. ૧૮૮૬ માર્ચની ૧૫ મી તારીખને સરકારી ઠરાવઃ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ભારતનાં સ્વતંત્ર પુરાતત્વીય સર્વેક્ષણ ખાતાં મહાનિર્દેશકની દેખરેખ હેઠળ મુકાયાં. ૧૮૮૬ માર્ચની ૧૫ મી તારીખને જ બીજો સરકારી ઠરાવ સરકારી નોકરને મલ્યો કે તેઓથી સંપાદિત કરાતા પુરાવશેષોને નિકાલ સત્તાવાર મંજૂરી મેળવ્યા વિના ન થઈ શકે. ૧૮૮૬ માર્ચની ૨૫ મી તારીખે બજેસ મહાનિર્દેશક બન્યા. ૧૮૮૬ ના જૂનની પહેલી તારીખે જે. એચ. લીટ સરકારી અભિલેખવિના પદેથી નિવૃત્ત થયા ત્યાં સુધી અભિલેખીય સર્વેક્ષણ-વિષયક કામગીરી પુરાતત્વીય સર્વેક્ષણના એક ભાગ રૂપે નહતી. ૧૮૮૬ ઓગસ્ટની આઠમી તારીખે સરકારી હુકમઃ પૂર્વમંજૂરી મેળવ્યા વિના, કોઈ પણ પ્રકારના પુરાવશેષ ખોદવા ઉપર પ્રતિબંધ. ૧૮૮૬-૮૭ હેત્રી કાઉસેન્સે સ્થાપત્યકીય સ્મારકનું સર્વેક્ષણ કર્યું. ૧૮૮૮ જેમ્સ બજેસે “એપિઝાફિયા ઇન્ડિકા' નામના સૈમાસિકની શરૂઆત કરી.. ૧૮૮૮ સુધીમાં ફલીટનાં કાર્ય પ્રસિદ્ધ થયાં. . ૧૮૮૮ નાતાલમાં ગિરનાર પાસેના બેરિયા સ્તૂપનું કેમ્પબેલે ઉખનન કર્યું. ૧૮૮૮-૮૯ ફર્ગ્યુસને ઉત્તર ગુજરાતમાં સ્થાપત્યકીય સમારકનું સર્વેક્ષણ કર્યું.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy