SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૩ સ્થાપત્ય ભાગના છÍદ્ધાર કરવામાં આવ્યા છે. એમાં ઘણાં સાંસ્થાનિક શૈલીનાં લક્ષણ જોવા મળે છે, તેથી એનું બાંધકામ પાછળના સમયનુ` હાવાનું મનાય છે. આ બંને હવેલીઓનુ કા-કેાતરકામ ઘણું જ સુંદર છે, (૬) અમદાવાદના મુસ્લિમ સમાજમાં કાઝી કુટુંબ ઘણું જ પ્રસિદ્ધ છે. તેઓ આજે પણ એમનાં ધાર્મિક કાર્યં ખાવે છે. એમનુ મકાન આસ્ટાડિયામાં હતું. આજે પણ એની કચેરીવાળા ભાગ ઊભા છે, ગુજરાતની ભવ્ય કાતરણીયુક્ત છતામાં એની છતની ગણના થાય છે. (૭) અમદાવાદમાં ગાયકવાડની હવેલી ખરેખર તા નાશ પામી છે તેથી એની મૂળ સ્થિતિ વિશે ઘણું જ ઓછું જાણવા મળે છે. (૮) અમદાવાદમાં હાન્ત પટેલની પોળમાં આવેલી ટંકશાળની હવેલી. હાન પટેલ બ્રિટિશ કાલ દરમ્યાન ટંકશાળના ઉપરી હતા, આથી આ પાળને અને હવેલીને આવું નામ મળ્યું. (૯) અમદાવાદમાં ખાડિયામાં આવેલી સારાભાઈ કુટુંબની હવેલી અમદાવાદ શહેરની સુંદર હવેલીએમાંની એક છે. કમનસીબે એનેા આગળના ભાગ બ્રિટિશ કાલ દરમ્યાન રસ્તા પહેાળા કરતી વખતે તેાડી નાખવામાં આવ્યા હતા. પાછળથી આ હવેલીમાં જે પરિવર્તન કરવામાં આવ્યાં તેથી એનું આખું સ્વરૂપ બદલાઈ ગયું છે. (૧૦) ભરૂચમાં આજે નગરશેઠની જૂની હવેલી નથી પરંતુ ખીજી ખે હવેલી આજે ઊભી છે : (૧) લલ્લુભાઈની હવેલી, લલ્લુભાઈને જેમ્સ ફ્રાન્ક્સ સાથે ગાઢ સંબંધ હતા, (૨) ભિખારીદાસની હવેલો. લલ્લુભાઈ અને ભિખારીદાસે એ સમયના ગુજરાતના રાજકીય જીવનમાં આગળ પડતા ભાગ ભજવ્યા હતા. ચુનારવાડમાં આવેલ ભિખારીદાસ હવેલીનુ મકાન આજે દેસાઈ હવેલી’ તરીકે ઓળખાય છે. લલ્લુભાઈની હવેલીની કચેરીના ભાગ આજે પણ જોવા મળે છે. (૧૧) મુસ્લિમ કુટુ ખેાનાં કેટલાંક સુંદર મકાન પાટણના કેટલાક ભાગે, જેવા કે રખ્તવાડ અને પાંચ-પાડામાં જોઈ શકાય છે. સિદ્ધપુર કપડવંજ અને સુરતમાં આવેલાં વહેારાએનાં મકાન પણ સુંદર છે. સુરતમાં વહેારા સૈયદ સાહેબનું સુંદર મકાન આવેલું છે. વહેારાનાં મકાનેાની વિશેષતા એ છે કે એમનાં મકાનાની અંદરને દરેક ભાગ ખૂબ જ અલંકૃત હેાય છે. ભીંતાનાં - તાકાં આયાત કરેલાં કાચનાં વાસણાથી ભરેલાં હેાય છે. (૧૨) પારસીઓનાં સુંદર મકાન સુરતમાં આવેલાં છે. એમાં મેહરજી રાણાનું મકાન ઉલ્લેખનીય છે. મેહરજી રાણાએ અકબરની મુલાકાત લીધી હતી. જમશેછ
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy