SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ કેળવણી ૩૨૦ જુદો હોય છે, અને મૌલવી સાહેબ દરેકને એક એક કરીને પિતાની પાસે બેલાવી એને સબક પઢાવે છે. એક જ સ્તરે બે બાળક ન હોવાને લીધે વર્ગનું પ્રજન કશું હેતું નથી. કુરાન શીખી રહ્યા પછી થોડું પ્રાથમિક ધાર્મિક શિક્ષણ અપાયા છે. ઉપરાંત સારાં ઘરની સ્ત્રીઓ પણ પિતાનાં ઘરોમાં નાઝિરહ કુરાનની તાલીમ આપતી હોય છે, પણ ત્યાં ઉચ્ચારશુદ્ધિ સંતોષકારક રીતે જળવાતી નથી. આ ઉપરાંત જે મોટી મદરેસા હોય છે તે દારુલ ઉલુમ કહેવાય છે. “દાર' એટલે ઘર અને ઉલૂમ” “ઈમ (અર્થાત જ્ઞાન)નું બહુવચન છે, તેથી દારુલ ઉલૂમ એટલે વિદ્યાઓનું ઘર. છેલલા ચેડા દાયકાથી દારુલ ઉલુમ સ્થાપવાની પ્રથાને વેગ મળે છે. અમદાવાદમાં દારુલ ઉલુમ શાહઆલમ, આસ્ટોડિયા પથ્થરવાળી મરિજદમાં મદ્રસાએઅનવારુલ ઉલૂમ અને રખિયાલમાં કાલેમુલ ઉલૂમ” સ્થપાયાં છે. બનાસકાંઠામાં છાપી, ખેડા જિલ્લામાં આણંદ અને સાબરકાંઠામાં વડાલીમાં આવી મદરેસાઓ સ્થપાઈ છે. ભરૂચ જિલ્લામાં આવી દારુલ ઉલૂમ પ્રત્યેનું વલણ ખૂબ પ્રબળ છે. ગુજરાત રાજ્યમાં જાણીતાં દારુલ ઉલૂમની સંખ્યા ૨૦ થી ૨૫ જેટલી છે. સુરત અને સિદ્ધપુરમાં દાઉદી વહેરાઓની પ્રાચીન મદરેસા છે, જે શિયા વહેરાઓ માટે મર્યાદિત છે. સુરત પાસે આવેલ ધાબેલ અને રાંદેરની મદરેસાઓને સ્થપાયે લગભગ ૭૦ વર્ષ થવા આવ્યાં છે. આ મદરેસાઓમાં રમજાનના પવિત્ર મહિના દરમ્યાન રજા હોય છે અને વર્ષ દરમ્યાન દર શુક્રવારે રજા રહે છે. રમજાન પછી નવું સત્ર શરૂ થાય છે અને હવે એ વખતે જ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે. મહોલ્લાની નાની મદરેસાઓની જેમ આમાં છોકરીઓને પ્રવેશ અપાતું નથી. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને દારુલ ઉલૂમમાં જ રહેવું પડે છે. કેઈ ફી લેવામાં આવતી નથી. ઉપરાંત વિદ્યાર્થીને રહેવા-ખાવાને ખર્ચ અને એના અભ્યાસક્રમનાં પુસ્તકોને ખર્ચ દારુલ ઉલૂમ ભોગવે છે. એ ખરા અર્થમાં મફત શિક્ષણ છે. દારુલ ઉલુમના શિક્ષકનું રહેવા-ખાવાનું પણ મફત હેાય છે. એ ઉપરાંત એમને માસિક પગાર અપાય છે. કેટલાંક દારુલ ઉલમોમાં દવાનો ખર્ચ પણ મદરેસા ભગવે છે, આથી કઈ પણ સામાન્ય દારુલ ઉલૂમનું વાર્ષિક બજેટ લાખ રૂપિયાથી ઓછું ભાગ્યેજ હેાય છે. આ માટે સરકાર પાસેથી કઈ ગ્રાન્ટ લેવામાં આવતી નથી, પરંતુ ધનિક મુસ્લિમ ખેરાત જકાત તિરહ અને સદકહ તેમજ ઇમદાદના રૂપિયા દર વર્ષે આવી મદરેસાઓને આપે છે. રમજાન મહિનામાં સામાન્ય રીતે જકાત કાઢવામાં આવે છે અને મદરેસાઓમાં રજાઓ હોય છે તેથી શાબાન મહિનાથી મદરેસાઓની અધિકૃત વ્યક્તિઓ ફાળો ઉઘરાવવા નીકળી પડે છે. એમને “સફર'
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy