SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ રહ૪ બ્રિટિશ કહે સુરતમાં રૂ. ૩૨,૯૦૨ ની આયાત અને રૂ. ૨૪,૦૩,૩૯૦ની નિકાસ થઈ હતી. સને ૧૮૭૪-૭૫માં સરેરાશ ૧૮.૫૩ ટન વજનનાં ૧,૫૩૩ વહાણ આવ્યાં હતાં, જ્યારે સરેરાશ ૧૮.૭૫ ટન વજનનાં ૨,૦૬પ વહાણ દ્વારા નિકાસ થઈ હતી. સુરતને પરદેશ સાથે વેપાર નહિવત થઈ ગયો હતો. નીચેને કઠે સુરતના વહાણવટાને ખ્યાલ આપે છેઃ સુરતની આયાત નિકાસ ૧૮૭૪-૭૫ સુરતથી તેને ૨૨૮ K ૧૦ ૧૨૮ ક્રમાંક બંદરનું નામ સુરત આવેલાં વહાણુ ગયેલાં વહાણ સંખ્યા ટન સંખ્યા ૧. કરાંચી ૨૬૨ ૨. માંડવી ૧ ૪૦ ૯ ૧૧૬ ૩. સૌરાષ્ટ્રનાં બંદર ૨૯૪ ૫,૮૦૧ ૩૮૨ ૫,૩૮૩ ૪. ગુજરાતનાં બંદર ૬૩૭ ૧૦,૪૮૨ ७६७ ૯,૫૦૭ ૫. મુંબઈ ૨૯૯ ૭,૩૮૮ ૧૮૪ ૩,૬૭૮ ૬. કાંકણું ૨૬૭ ૩,૨૨૦ ૨૪૭ ૨,૯૦૭ ૭. દીવ દમણ ગોવા ૧૭ ૩૩૮ ૨૨૩ ૮. કાલીકટ ૪૬૫ કુલ - ૧,૫૩૩ ૨૮,૪૦૭ ૧,૪૨૮ ૨૨,૨૮૦ ઉપરને કઠે સ્પષ્ટ કરે છે કે, સુરતને વેપાર ગુજરાતનાં બંદરો, કોંકણ, મલબાર અને સિંધ પૂરતું મર્યાદિત રહ્યો હતો. સુરતથી અનાજ, કઠોળ, મહુડાનાં ફૂલ, ઇમારતી લાકડું અને વાંસની નિકાસ થતી હતી, જ્યારે કેકણથી ચેખા, રિબંદરથી પથ્થર, ખંભાતથી તમાકુ, ભરૂચથી રૂ, મુંબઈથી લોખંડ, ગોવાથી નાળિયેર અને દીવ-દમણથી માછલીની આયાત થતી હતી. પાકે માલ, જેવો કે સૂતર, કાપડ, રેશમી કાપડ, ગળી વગેરેની નિકાસ સાવ બંધ હતી. ૧૮૭૬ અને ૧૮૮૭માં રેલે અને ૧૮૮૯ માં આગે સુરતની ખૂબ ખાનાખરાબી કરી હતી, તા. ૩૧-૧૧-૧૮૯૬ ના રોજ સુરત તાપીની ખીણ સાથે રેલવે માર્ગે ડાયું હતું, આથી સુરતના વેપારને પ્રોત્સાહન મળ્યું હશે, આ પ્રદેશનાં અનાજ અને રૂની નિકાસ સુરત દ્વારા મુંબઈ તથા અન્ય પ્રદેશ સાથે વધી હશે. મિલઉદ્યોગ અને જરી-ઉદ્યોગ વિકસતાં ખાસ કરીને નિકાસને પ્રોત્સાહન મળ્યું હતું, સુરતના બારામાં ઈ.સ. ૧૮૫૫ ના ૪૦૦-૫૦૦ ખાંડીનાં અને ૧૮૭૬ માં ૫૦૦ થી ૬૦૦ ખાંડીનાં વહાણ આવતાં હતાં. ૧૮૬૩માં આવેલી આગબેટ ૧,૧૨૧ ખાંડીની
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy