SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન રિયાસત આંતરિક બાબતમાં પણ સાર્વભૌમ સત્તા માથું મારતી હતી. માફવિસ ઑફ હેટિં. ગ્સના આ બાબતના ઉદ્દગારો સૂચક છે : “એમની સાથેની સંધિ પ્રમાણે આપણે એમને સ્વતંત્ર રાજવી તરીકે માન્ય રાખીએ છીએ. એમની કચેરીમાં રેસિડેન્ટ મોકલીએ છીએ. એ એલચી તરીકે વર્તવાને બદલે સરમુખત્યાર તરીકે વર્તે છે. બધી ખાનગી બાબતમાં માથું મારે છે, એમની વિરુદ્ધના બંડખોને સહારો આપે છે અને એમની સત્તાનું નગ્ન પ્રદર્શન કરે છે. આપણી કાઉન્સિલ એમને દઢતાથી સહકાર આપે છે. સરકાર પણ એકાદ મુદ્દા બાબત નહિ, પણ એનાં બધાં પગલાંઓ ને વર્તનને ટેકો આપે છે. આમ દેશી રાજની લાગણીઓ દુભાવવામાં આવે છે. મુસ્લિમ અને હિંદુ રાજવીઓ બાબત એમના પુત્ર પૈકી વારસ પસંદ કરવાની બાબતમાં મુસ્લિમ કાયદા અને હિંદુ કાયદા વિરુદ્ધ વલણ અપનાવીએ છીએ.” દેશી રજવાડાંઓના શાસન કરતાં બ્રિટિશ શાસન સેગણું સારું છે અને દેશી રાજ્યની પ્રજાને બ્રિટિશ શાસન ગમે છે એવી ભ્રામક માન્યતાને કારણે સાચી કે બેટી રીત-રસમો અજમાવી દેશી રાજ્યોને મુલક ખાલસા કરવાની નીતિ ૧૮૫૭ના સંગ્રામ સુધી અપનાવાઈ હતી. ૧૮૫૭ના સંગ્રામ બાદ રાણી વિકટોરિયાના ઢંઢેરા અનુસાર દેશી રાજ્ય તરફના વલણમાં પલટો આવ્યો હતો અને દત્તક લેવા બાબત સંપૂર્ણ છૂટ અપાઈ હતી. ગેરશાસન અને અશાંતિ સિવાય દેશી રાજ્યોના કારેબારમાં માથું મારવામાં આવતું ન હતું. વડોદરા રાજ્યમાં ૧૮૦૨ પછી સુશાસન સ્થાપવા અને ઉદંડ અરબ સૈનિકોને દબાવવા અને ગાયકવાડની ગાદી ટકાવી રાખવા ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીએ વડોદરા રાજ્યને ખુલ્લી મદદ કરી હતી. ગાયકવાડના દીવાન નીમવાની અને રાજ્યના બજેટ જેવી આંતરિક વહીવટની બાબતમાં પણ રેસિડેન્ટની ઈચ્છાને માન આપવાની.ગાયકવાડને ફરજ પડાઈ હતી. ગાયકવાડના શરાફેને તથા ગાયકવાડના બ્રિટિશ-તરફી અમલદારો અને ગાયકવાડના સગાઓને બાંહેધરી આપીને બ્રિટિશ સરકારે ગાયકવાડના આંતરિક વહીવટમાં રસ લીધે હતે. ખંડણી આપવા ઉપરાંત દરેક દેશી રાજાને સીધે. ગાદી-વારસ ન હોય તે દત્તક-પુત્ર લેવા માટે સાર્વભૌમ સત્તાની મંજૂરી મેળવવી પડતી હતી. ગેરશાસન અને અવ્યવસ્થાના પ્રસંગમાં રાજાને પદભ્રષ્ટ કરી, રિજન્સી કાઉન્સિલ નીમી બ્રિટિશ સરકાર હસ્તક્ષેપ કરતી હતી. કેઈ રાજાના અકાળ અવસાનના પ્રસંગે નવા રાજાની સગીર અવસ્થા દરમ્યાન પણ દરમ્યાનગીરી કરવામાં આવી હતી. ગેવધ કરવા બદલ ભાવનગરના મહારાજાએ કસૂરદારને શિક્ષા કરતાં ખેડાના કલેકટરે ભાવનગર મહારાજાને દેષિત ઠરાવી દંડ કર્યો હતે અને કેટલાક પ્રદેશ ખુંચવી
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy