SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ જુ' ] અકબરથી ઓર‘ગઝે [૫૫ આવ્યા હતા, તેથી એને મદદ કરવા મુહમ્મદ સાફીખાનને દીવાન અને બક્ષી તરીકે નીમવામાં આવ્યું।. ૧૬૧૮ ના આરંભમાં સમ્રાટ જહાંગીરે અમદાવાદની મુલાકાત લીધી ત્યારે મુકર ખખાન અમદાવાદમાં હતા અને એણે જહાંગીરના લાંબા સમય સુધીના અમદાવાદના નિવાસની તમામ વ્યવસ્થા કરી હતી. મુઘલ બાદશાહ જહાંગીરે પૂરાં પાંચ વર્ષ અને ચાર મહિના ( સપ્ટેમ્બર ૧૬૧૭ થી જાન્યુઆરી, ૧૬૧૯) સુધી રાજધાની આગ્રા છે।ડી અજમેર તેમ માળવા અને ગુજરાતના પ્રાંતાનો પ્રવાસ કર્યાં, જે તેાંધપાત્ર છે. પ્રવાસ દરમ્યાન એણે અજમેર માંઠુ અને અમદાવાદમાં લાંખા સમય સુધી રહી જે પ્રવૃત્તિએ કરી તેના હેવાલ સર ≥મસ રાની નોંધપોથીમાંથી મળી આવે છે. સર રાતે ઇંગ્લૅન્ડના રાજા જેમ્સ ૧ લાએ પેાતાના એલચી તરીકે મુઘલ બાદશાહ પાસે મેાકલ્યા હતા. સર રે। જહાંગીરને ૧૬૧૫ ના અંતમાં અજમેર ખાતે મળ્યેા હતેા અને પેાતાના રસાલા સાથે એ જહાંગીરની સથે સાથે સપ્ટેમ્બર ૧૬૧૮ સુધી કર્યાં હતા. ગુજરાતને પ્રવાસ કરવા જહાંગીર માંહૂથી નીકળી દાહેાદ આવી પહોંચ્ય (ડિસેમ્બર ૧, ૧૬૧૭). ગુજરાતના પ્રવાસ માટે જહાંગીરે એના સસ્મરણ ગ્રંથમાં માંધ્યુ છે કે પેાતાને ગુજરાત પ્રાંતની મુલાકાત લેવાની તીવ્ર ઇચ્છા હતી. હાથીનો શિકાર જે પેાતે કદી કર્યા ન હતા તે કરવા હતા અને ખારા સમુદ્ર જાતે જોવા હતા.૧૭ જહાંગીર નડિયાદ અને પેટલાદ થઈ ખંભાત પહેાંચ્યા (ડિસેમ્બર ૧૯, ૧૬૧૭, જ્યાં એ દસ દિવસ રહ્યો અને એણે દરિયાઈ સફરની માજ માણી. ખંભાતથી નીકળી (ડિસેમ્બર ૩૦, ૧૬૧૭) જહાંગીરે પેાતાના રસાલા સાથે માતર પરગણા અને બારેજા ગામ થઈને અમદાવાદ શહેર બહાર કાંકરિયા તળાવ પર મુકામ કર્યાં. જહાંગીરે રાજધાની અમદાવાદમાં પ્રવેશ કર્યો તે દિવસે શાહજાદા શાહજહાંની એ ૨૩ મી વર્ષગાંઠ હતી. હુ ંમેશની જેમ શાહજાદાને સુવર્ણ અને અન્ય ચીજો સામે જોખવામાં આવ્યા. એ પ્રસંગે જહાંગીરે શાહજહાંને ગુજરાતની જાગીર અક્ષિસ આપી અને એના સૂબેદાર તરીકે નીમ્યા (જાન્યુઆરી ૫, ૧૬૧૮). શાહજાદા શાહજહું (ઈ.સ. ૧૬૧૮-૨૩) જો કે ૧૬૧૮ થી ૧૬૨૨ માં આંતરવિગ્રહ ફાટી નીકળતાં સુધી શાહજહાં ગુજરાતના સૂમેદાર તરીકે ઔપચારિક રીતે જ રહ્યો. એ એના પિતાની સાથે જ ગુજરાત છે!ડી ગયે। હતા અને વહીવટી ત ંત્ર એના નાયબ તરીકે રુરતમખાને (૧૬૧૮-૨૨) અને પછીથી રાજા વિક્રમાજિતે (૧૬૨૨-૨૩) ચલાવ્યું હતું. દાહેાદનાં જંગલામાં હાથીઓના શિકારની મેાજ માણીને આમા પાછા ફરવાના નિર્ધાર સાથે જહાંગીરે અમદાવાદથી પ્રયાણ કર્યુ. ( ફેબ્રુઆરી ૧૦,
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy