SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ • સુ* ] ભાષા અને સાહિત્ય ૩. અશ્મી ફારસી અને ઉર્દૂ ગુજરાતમાં વસતી પારસી કેમની મૂળ માતૃભાષા ફારસી હતી. તેમાંથી જેમને ઈરાનમાં વસતા પારસીએ। સાથે સબ ંધ હશે તેવા કેટલાક લેાકેાનું ફારસી શીખવા તરફ વલણ રહેતું. વિદેશમાંથી આવેલા મુસલમાનેાની પણ એ લગભગ માતૃભાષા હતી, બાકી રહ્યા ગુજરાતી હિ ંદુએ, તેએ માટે ફારસી ભાષા અપરિચિત હતી, પર`તુ જો તેઓ ફારસી ન શીખે તે સરકારી ખાતાંઓમાં જોડાવાનાં દ્વાર એમને માટે બંધ થઈ જાય, આથી હિંદુ મેાના કેટલાક ગુજરાતી શિક્ષિતાને પણ ફારસી શીખવાનું જરૂરી બન્યું. [ ૩૧૯ ફ્રારસીના વિદ્વાનને માટે અરખી ભાષાનું જ્ઞાન હૈ।વુ અનિવાર્ય તે નહિ, પરંતુ આવશ્યક જરૂર હાય છે. ભારતના તત્કાલીન શાસક મુસલમાન હતા. તેના ધર્મ ગ્ર ંથ અરબી ભાષામાં લખાયેલા હાઈ, પેાતાની માન્યતા તથા વિચારાને પ્રમાણિત કરવા માટે એ ગ્રંથામાંથી અવતરણા ટાંકી શકાય-એાછામાં એહું એટલું અરબીનું જ્ઞાન તા એમને માટે અપેક્ષિત રહે છે. આથી ગુજરાતના મુસલમાને નાગર હિંદુ ગૃહસ્થા કે પારસીએ અરબી-ફારસી બંનેને અભ્યાસ કરતા અને કેટલાક તા એમાં નિપુણ બનતા. આને કારણે ગુજરાતમાં અરખી ભાષામાં લહું લખાયું છે. એ બધુ લખાણ ગ્રંથા દીબાચા ભાષાંતર। રુષ્કાએ બયાઝા કે ફૂટકળ લખાણના રૂપમાં સારાયે ગુજરાતમાં વેરવિખેર પડયું છે. સદ્ગત દી. બ. કૃષ્ણલાલ મેાહનલાલ ઝવેરીએ પેાતાના ગુજરાતીઓએ લખેલા ફારસી ગ્રંથા’માં પોતે ઉપયેગમાં લીધેલાં સાધતાની યાદીમાં ખંભાત અમદાવાદ વગેરે સ્થળાના કાજી સાહેબેા તથા અન્ય સાહિત્યપ્રેમીએનાં કિતાબખાનાં વગેરેને ઉલ્લેખ કર્યો છે. એ જ પ્રમાણે ડો. હાટુભાઈ ર. નાયકે પણ પોતાના ‘ગુજરાતના નાગરેનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ'માં ધણાં સાધતાના ઉલ્લેખ કરેલા છે. ગુજરાતના નાગરા, ગુજરાતી મુસ્લિમો અને પારસીઓએ અબી ફ્રારસીમાં ઘણું લખ્યુ છે, પરંતુ એ બધુ એકત્ર કરી શકાયુ` નથી, ફારસીજ્ઞાતા નાગરે એ ફુરસદને સમય ફ્ારસી કૃતિએ રચવામાં અને ક્રૂરસી પુસ્તકાની નકલ કરવામાં ગાળ્યો હતેા. ફ્રારસી ગદ્યપદ્યના મેાટા જથ્થા એમણે તૈયાર કર્યાં હતા, પરંતુ એમાંતા ણે! નાને! ભાગ પ્રકાશમાં આવ્યા છે. ગુજરાત-સૌરાષ્ટ્રનાં મુખ્ય શહેર જેવાં કે અમદાવાદ સુરત ભરૂચ ખભાત પાલનપુર માંગરાળ(સેાર) અને જૂનાગઢમાં વસતા એમના વંશજો અને સગાંવહાલાંએનાં ધરોમાં એમની સખત મહેનત અને તપસ્યાના ફળરૂપે લખાયેલાં પુસ્તક હશે જ. સ`શેાધનકાર્ય કરનારાઓને માટે એ અતિશય ઉપયાગી સામગ્રી પૂરી પાડી શકે એમ છે. જો આ બધા ધૂળ ખાતા
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy