SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ સુરતનુ અદર [ ૨૭૯ ઈ.સ. ૧૬૦૮ માં ઇંગ્લૅન્ડની ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું વહાણ તાપીના મુખ પાસે લાંગયું ને એમાંને માલ સુરતમાં વેચાવા લાગ્યા, પણ ફ્રિગીએએ ત્યાંથી એ વહાણને ચાલ્યા જવા ક્રૂરજ પાડી. ૧૯૧૧ માં અ ંગ્રેજોનાં વહાણ સુ ંવાળી આગળ નાંગર્યા તેની પણ એ દશા થઈ, પર ંતુ અંગ્રેજ વેપારીએ થાડા વખતમાં હુક મેળવવામાં સફળ થયા તે ૧૬૧૩ માં સુરતમાં અંગ્રેજોની કાયમી કાઠી સ્થપાઈ. ૧૬૧૪-૧૫ માં સુંવાળીના બારા આગળ ફિરંગીઓના અને અ ંગ્રેજોના કાફલા વચ્ચે ઝપાઝપી થઈ, એમાં ફિરંગીઓ હારી ગયા. ઈંગ્લૅન્ડના રાજાના એલચી સર ટોમસ રાના પ્રયત્નથી સુરતની અ ંગ્રેજ કાઠીની સ્થિતિ સધ્ધર થઈ. આગ્રા અમદાવાદ અને ભરૂચના અંગ્રેજ કાઠીએ સુરતની કાઠીની સત્તા નીચે મુકાઈ (૧૬૧૮–૧૯).૭ હવે ખાંભાતના બંદરની પડતી થઈ હતી ને ગુજરાતનાં બંદરામાં અગ્રિમ સ્થાન સુરતને મળ્યું હતું. ૧૬૦૮ માં સુરત આવેલા વિલિયમ ફ્રેન્ચ નામે અ°ગ્રેજ વેપારીએ તેાંધ્યું છે કે સુરત શહેર ધણું મોટુ છે ને એમાં વેપારીઓનાં ઘણાં મકાન છે; સુરતના કિલ્લા પાસે જકાતનાકું છે તે એની બહાર એક માટુ' બન્નર છે, જેમાં તમામ જાતના માલ વેચાય છે. સુરતની કાઠીના પ્રેસિડન્ટે રાતા સમુદ્ર અને ઈરાનનાં બંદરા સાથેના વેપાર પણ જમાવ્યું, આથી સુરતી અને ફ્િરગી વેપારીઓને નુકસાન થયું. દરમ્યાન વલંદાઓએ પણુ વેપારના હક મેળવી સુરતમાં કાઠી નાખી, ત્યારે મેટાં વહાણુ સુંવાળી બંદરે લાંગરતાં, શિયાળામાં સુરતના વેપારી પશુ ત્યાં તથ્થુ નાખતા તે છીટ, ચિનાઈ સાટીન, ચિનાઈ વાસણુ, માતી અને હાથીદાંતની ચીજો, અકીક ચેાખા ખાંડ અને કેળાં વેચાતાં. સુરતના શરાફ યુરોપીય વેપારીઓને નાણાં ધીરતા. સુંવાળીથી સુતરાઉ કાપડ ગળી સૂરોખાર ભરી પીપર મૂતર કરિયાણાં લાખ ખાંડ, રેશમ વગેરેની નિકાસ થતી તે ઈંગ્લૅન્ડથી પહેાળા પનાનું કાપડ સીસુ પારા હિં...ગળેાક પરવાળાં હાથીદાંત પડદા સાનાચાંદીના તારનું ભરતકામ વગેરેની આયાત થતી. સુરતનું કાપડ ઈંગ્લૅન્ડમાં માનીતુ ને સસ્તું હાઇ એની ધણી માંગ રહેતી અ ંગ્રેજોને મસાલાના ટાપુઓના વેપાર ખેડતા વલદાની હરીફાઈ નડતી હતી, પણ ફિરંગી સાથેની મૈત્રીથી રાહત થઈ. ૧૬૨૭માં સુરત આવેલા અંગ્રેજ અધિકારી ટોમસ હર્ટ સુરતને ગુજરાતનું અમદાવાદ અને ખભાત પછીનું ત્રીજું ઉત્તમ નગર કહ્યુ છે. ૧૦ શાહજહાંના સમયમાં જનીને મેન્ડેલ્લે ૧૬૩૮માં સુરત આવ્યા હતા. એ નોંધે છે કે સુરતના ફુરજામાં એનાં કપડાં અને ખિસ્સાંની તપાસ થઈ હતી.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy