SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ૧ પ્રાસ્તાવિક પ્રકરણ ૧ સાધન-સામગ્રી ૧. ફારસી-અરબી તવારીખ મુઘલ સમ્રાટ અકબરે ગુજરાત જીત્યું (ઈ.સ. ૧૫૭૩) ત્યારથી લગભગ ૧૮૫ વર્ષ સુધી ગુજરાત મુઘલોના તાબામાં રહ્યું. આ ગાળા દરમ્યાન તેઓ પિતાના સુબેદારો મારફતે ગુજરાતનો વહીવટ ચલાવતા રહ્યા. | મુઘલ કાલમાં ફારસી રાજભાષા હતી. રાજ્ય તરફથી ફારસી ભાષા અને સાહિત્યને ઉત્કર્ષ માટે ખાસ ઉત્તેજન અપાતું હતું. મુઘલ સમ્રાટે, સૂબેદારે અને અમીર ફારસી ભાષાના વિદ્વાનોના આશ્રયદાતા હતા. આવા આશ્રિત વિદ્વાનમાં ઇતિહાસલેખકેને સ્થાન મળ્યું હતું. ઉપરાંત કેટલાક સ્વતંત્ર ઈતિહાસ લેખક પણ હતા, જેમને મુઘલે તરફથી પ્રાત્સાહન મળતું. રહેતું. આથી આ કાલ દરમ્યાન મુસ્લિમ અને હિંદુ ઈતિહાસ-લેખકોએ મેટી સંખ્યામાં ઈતિહાસગ્રંથ લખ્યા છે. આમાંના ઘણાખરા ગ્રંથ પ્રસ્તુત કાલના ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ માટે વરતેઓછે અંશે ઉપયોગી થાય છે.' અકબરના સમયમાં લખાયેલ અબુત્સલત “અકબરનામહ, અબદુકાદિર બદાઊની(મૃ. ઈ.સ. ૧૫૯૬)-કૃત “મુખબુત તવારીખ અને ખાજા નિઝામુદીન અહંમદ હરવા-કૃત “તબકાતે અકબરી મુખ્ય છે. ' અકબરનામહીમાં ઘટનાઓની વિગત સાલવાર આપી છે. એમાં બાબર અને હુમાયું વિશેના વિગતવાર અહેવાલમાં ગુજરાત અંગે વિસ્તૃત માહિતી આવે છે, છે. ઈ–૬–૧
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy