SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧] મુઘલ કાલે Tઝ. કર્મચારી હતો. ખેડૂત અને સરકારી અમલદારે વચ્ચે મહેસૂલ-આંકણી વખતે જે નક્કી થતું તેની સર્વ નોંધ આ કારકૂન રાખતો અને એ ગામના મુખી અને પટવારીના હિસાબે સાથે સરખાવી જતો, જેથી સરકારને મહેસુલમાં નુકસાન ન થાય. પરગણાને વહીવટી અધિકારી શિકદાર હતો. તિજોરીમાં નાણાંની આવક રાખવાની ખજાનચીની સાથે એની પણ ફરજ હતી. કટોકટીમાં એ તિજોરીમાંથી નાણાં ખર્ચી શકતો. પ્રાચીન સમયથી જૂના અધિકારી તરીકે કાનુનગો પરગણામાં જાણીતા હતો. એ ગામના પટવારીઓને વડે હતો. એ ખેતરો અને પાક સંબંધી દફતરો રાખતો એટલું જ નહિ, પણ સ્થાનિક રીતરિવાજે વ્યવહાર વગેરે જાણત. આરંભમાં કાનૂતોને એક ટકા જેટલું કમિશન આપવામાં આવતું, અકબરે એ પ્રથા બંધ કરાવી, અંગત નિભાવ માટે જાગીર તથા રાજ્ય તિજોરીમાંથી રોકડ પગાર આપવાનું શરૂ કરેલું. શિકડ પગાર ત્રણ શ્રેણીઓમાં એટલેકે માસિક રૂા. ૫૦, ૩૦ અને ૨૦ આપવામાં આવતા.૨૧ કાનનગાનાં કાર્યોમાં ગામ અને જિલ્લાને લગતી મહેસૂલી બાબતો, વસૂલાત, ખાતેદાર, એના વાર, મિલકત નામફેર કરવી વગેરે સમાવેશ થતો. અબુલના કહેવા મુજબ પટવારી ખેડૂતે રાખેલો લહિ હતા. જમીન મહેસૂલની જણ મહેસૂલની મોજણ-પદ્ધતિ શેરશાહના સમયમાં જે ગેઠવાઈ હતી તે અતિ ખર્ચાળ જણાતાં અકબરે ભાળવાથી શિહાબુદ્દીનને બેલાવી મહેસૂલ ખાતાને હવાલો સપિ. શિહાબુદ્દીને મજણી અને વસૂલાતની જૂની પદ્ધતિ રદ કરી અને ના નામની પદ્ધતિ દાખલ કરી. રર શિહાબુદ્દીને દાખલ કરેલ એ પદ્ધતિને ગામ કે પરગણાની સામૂહિક મોજણી તરીકે ઘટાવવામાં આવી છે. ૨૩ જાગીર-જમીનને વહીવટ | મુઘલ બાદશાહે તરફથી જેમને લશ્કર ખાતાના કર્મચારીઓ ગણવામાં આવતા તેમને પગારના બદલે જમીને–જાગીરો પાપવામાં આવતી. એ પછી જાગીર-જમીનોને હિસે, જેને “સૂયુર્ઘલ જાગીર” કહેવામાં આવતા તે, દાન અર્થે વ્યક્તિઓ કે ધાર્મિક સંરથાઓને આપવામાં આવતું. મુઘલ વહીવટી તંત્રમાં આવી બક્ષિસ અપાયેલી જાગીરનું મહેસૂલ જે આપતી વખતે અંદાજ વામાં આવતું તેનું ભારે મહત્વ રહેતું. જાગીર જમીને અને શાહી માલિકીની ખાલસા જમીન મહેસૂલની આંકણી સરકારી નિયમો પ્રમાણે કરવામાં આવતી. મહેમલતી વસુલાત જાગીરદાર પોતાના પ્રતિનિધિઓ મારફતે કરતા.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy