SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૨] ગુજરાતમાં મરાઠી સત્તાને પ્રારંભ. ૧૯ લીધી. આ ઉપરાંત એણે પડોશમાં રહેતા ભીલ અને કળી લેકેનો પક્ષ લઈ એમના માટે કાર્ય કર્યું, અને સાથે સાથે સુરત પર હલા કરવાનું પણ ચાલુ રાખ્યું. ૧૭૧૯ માં ભીલ પાસેથી સોનગઢનો કિલે મેળવા લઈ ત્યાં પિલાજીરાવે પોતાનું વડું મથક સ્થાપ્યું.૮ ૧૭૬૬ સુધી એ એમનું મુખ્ય મથક રહ્યું. ૧૭૧૯ થી ૧૭૨૩ સુધીના ગાળામાં પિલાજીરાવે સુરત અઠ્ઠાવીસીમાંથી ખંડણી ઉઘરાવવાનું કાર્ય કર્યું અને વડોદરા જિલ્લાનાં પાદરા પાણી અને ભાયેલી ગામના હિંદુ દેસાઈઓ સાથે મિત્રતા બાંધી. ૧૭૨૪ માં સુરતના મુત્સદ્દી મીનખાને મોકલેલી લશ્કરી ટુકડીને પિલાજીરાવે હરાવી. એ સમયે કંથાજી કદમ બાંડેએ ગોધરા અને દાહોદનાં ગામડાં તારાજ કરી ખંડણ વસૂલ લીધી હતી. ૧૭૨૫ માં સરબુલંદખાન સૂબેદાર તરીકે નિમાયે ત્યારે એણે પોતાના નાયબ તરીકે સુજાતખાનને મૂક્યો અને એને ગુજરાત મોકલવામાં આવ્યો. ગુજરાતમાંથી બદલી પામેલા સૂબેદાર નિઝામુલુ-મુલ્કને નાયબ હમીદખાન પિતાની સત્તા છોડવા તૈયાર ન હતો તેથી આ બંને પક્ષો વચ્ચે એક વર્ષ સુધી આંતરવિગ્રહ ચાલે. હમીદખાને મરાઠાઓની મદદ મેળવી સુજાતખાન અને એના ભાઈઓને ક્રમશઃ હરાવ્યા અને એમની હત્યા કરી. આ સમય દરમ્યાન કંથાજી કદમ બાંડેએ વિરમગામ પર ચડાઈ કરી, કારણ કે મહી નદીની ઉત્તરે આવેલાં તમામ પરગણુઓની ચોથ એને આપવાનું વચન મુઘલ સુબેદારે આપ્યું હતું, પરંતુ એનું પાલન કરવામાં આવ્યું ન હતું. વિરમગામના નિવાસી ઉદયકરણ દેસાઈએ દીર્ધદષ્ટિ વાપરી સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી ખાનદાની ઉધરાવી ને બાંડેને આપી અને જે રકમ વધી તેમાંથી એણે ફરતી રક્ષણ દીવાલ પછીના સમયમાં બંધાવી લીધી. ૧૦ સુરતનો ફોજદાર રસ્તમઅલીખાન, જે વડોદરા અને પેટલાદને ફેજદાર પણ હતો, તેણે પિલાજીરાવના હલાઓનો સામનો કરવા પ્રયાસ કર્યો, પરંતુ એમાં સફળતા ન મળવાથી એને પિલાજીરાવ સાથે સમાધાન કરવાની ફરજ પડી હતી. રુસ્તમઅલીખાનને હમીદખાન સામે પિલાજીરાવની મદદ જોઈતી હતી. પિલાજીરાવે એને મદદ આપવાનું વચન આપી મદદ આપવાનો દેખાવ કર્યો અને અડાસ સુધી સાથે ગયો. સામી બાજુએ હમીદખાનના પક્ષે કંથાજી કદમ બાંડે હતે. બંને પક્ષે સામસામાં રહેલા પિલાજીરાવ અને કંથાજી અડાસની લડાઈમાં ભાગ ન લેતાં પ્રેક્ષક બની રહ્યા. હમીદખાન અને રૂસ્તમઅલી ખાન
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy