SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ] સુઘલ કાલ [3. પામતાં એનેા કુમાર પૃથ્વીરાજજી સત્તા ઉપર આવ્યા. એ ઈ.સ. ૧૭૨૮ માં અપુત્ર મરણ પામતાં એનેા ભાઈ કેસરીસિંહજી સત્તા ઉપર આવ્યા. આ વખતે જામની ઈચ્છા નાના ભાઈ વરસેાજીને વાંકાનેરની ગાદી પર લાવવાની હતી. પણ વઢવાણના અર્જુનસિંહજીનું પીઠબળ મળવાને કારણે નિષ્ફળતા મળી. ઈ.સ. ૧૭૪૯ માં કેસરીસિ’જીનું અવસાન થતાં યુવરાજ ભારેાજી સત્તા ઉપર આવ્યા. એણે સાયલાના શેખાજીની મદદથી ધ્રાંગધ્રાનેા કબજો જાળવી રાખેલા. શેખેાજીએ બાવળાના કલાજીની મદદથી હળવદ તા લીધુ, પણ્ ધ્રાંગધ્રા મેળવી નહેતા શકયો. (૪) વઢવાણુના ઝાલા આ પૂર્વે જોયુ કે રાજોજીએ ઈ.સ. ૧૬૩૦ માં વઢવાણુમાં ઝાલા શાખા સ્થાપી. એનું ઈ.સ. ૧૬૪૨ માં અવસાન થતાં૩૨ એના કુમાર સબસ હજી ૧ લેા સત્તા પર આવ્યો. ઈ.સ. ૧૬૬૪ માં શિવાજીએ સુરત લૂટયું ત્યારે ગુજરાતના મુઘલ સમ્મેદાર મહાબતખાને આ સબસિહજીને સાથે લડવા લઈ જઈ ગૌરવ વધાર્યું હતું. આ સબસિહજીનું૩૩ ઈ.સ. ૧૬૬૬ માં એના નાના ભાઈ ઉદયસિંહજીએ ખૂન કર્યુ અને સત્તા હાંસલ કરી. ઉદયસિંહજી ઈ.સ. ૧૬૮૧ માં મરણ પામતાં એને કુમાર ભગતસિંહજી સત્તા પર આવ્યા. આ વંશના સ્થાપનાર રાજોજીના પૌત્ર માધવસિહજી (કાટામાં) ૧૭૦૭– ૧૭૦૮ માં થઈ ગયેલા એના કુમાર અર્જુનસિ ંહજી તથા અભયસંહજીએ કાટાથી લશ્કર લાવી વઢવાણુના દરબારમાં ભગતસિંહજીનું ખૂન કર્યુ... અને એના તાખાના પ્રદેશ બંને જણાએ વહેં'ચી લીધા. ઇ.સ. ૧૭૦૭ માં અર્જુનનિસ હજીએ વઢવાણ ખજે કરી રહેતા મુઘલ થાણુદારને હાંકી કાઢયો. અભયસિંહજીએ ચૂડા પરગણું લીધું. ૩૪ અર્જુનસિ હજીના રાજ્યકાલમાં ભગતસિ ંહજીની વિધવા રાણી સંગ્રામજી અને અમરિસંહજીને લઈ મેારખીના કાંયેાજી (ઈ.સ. ૧૯૯૮-૧૭૩૦) પાસે આશ્રય માટે ગઈ. અને સહાયરૂપ બનવા કાંયેાજીએ વઢવાણુ પર ચડાઈ કરી ત્યારે હળવદથી જસાજી(ઈ.સ. ૧૬૭૩–૧૭૨૩), વાંકાનેરથી ચંદ્રસિંહજી(ઈ.સ. ૧૬૧૯-૧૭૨૧), શિયાણીથી અંદાજી ૨ જો (ઈ.સ. ૧૭૦૬-૧૭૨૮) અને લખતરથી ગેાપાસિંહજી (ઈ.સ. ૧૬૯૬-૧૭૧૪) પંચ તરીકે ભેળા થયા અને એમાં કાંયાજીની મધ્યસ્થાથી અર્જુનસિંહ અને અભયસિંહને વઢવાણુ માટે માન્ય રાખવામાં આવ્યા. અજુનસિ ંહના રાજ્ય-અમલ દરમ્યાન અમદાવાદના સૂબેદાર સરખુલંદખાન ખ`ડણી ઉઘરાવવા આવ્યા ત્યારે યુદ્ધ થયું હતું, પણ અંતે સમાધાન થતાં
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy