SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩:૨] સલ્તનત સા . પરંતુ જૈન ધમમાં આંતરિક વિખવાદ બહુ પ્રબળ થઈ પડયો હતા. ‘ખરતરગચ્છ’ અને તપાગચ્છ ' વચ્ચે વૈમનસ્ય અને ધૃણા હતાં. સામાન્ય રીતે ખરતરગચ્છીય સાધુએ મારવાડ-મેવાડમાં વિહરતા અને તપાગચ્છીય ગુજરાતમાં હિરતા. વળી અમદાવાદમાં લાંકા શાહે સ્થાપેલ સપ્રદાય મૂર્તિ પુખ્ત અને એના ઉપદેશક સાધુઓને પ્રબળ હરીફ્ બની ગયા હતા. આંતરિક વિખવાદના પરિણામે ધર્માચાર્યોનું મહત્ત્વ ઘટી જવા લાગ્યુ હતું, ૧૦૭ .. આવા સમયે અકબર બાદશાહ જેવા ઉપર પણ પ્રભાવ પાડનાર પ્રખર પ્રભાવક શ્રી હીરવિજયસૂરિના ઉદય થયા. એ એક અતિ શુભ સીમાચિહ્ન બની ગયું ગણાય. ૩. ઇસ્લામ સહતનત કાલ દરમ્યાન ગુજરાતમાં મુસલમાનાની વસ્તી સારા પ્રમાણમાં હતી. મુસલમાતા પેાતાના ધર્મનું ચુસ્તપણે પાલન કરવા માટે જાણીતા છે. ગુજરાતના તત્કાલીન મુસલમાનામાં ધર્મપ્રારકા, શાસક અને સિપાહીએ, તથા ધર્માંતર કરેલ દેશી મુસ્લિમા હતા. ધમપ્રચારકા ઇસ્લામને સાચી રીતે સમજીને એનું પાલન કરતા. તેઓનું મુખ્ય કાર્ય ધર્મના પ્રચારનું હાઈ, તે ઇસ્લામના ઉત્તમ ઉલો પ્રમાણે પેાતાનું જીવન જીવતા અને એ રીતે અન્ય લોક ઉપર પ્રભાવ પાડી એમને ઇસ્લામ લાવતા. રાજ્યકર્તા અને સિપાહીએ ધાર્મિક ઝનૂનના કારણે ઇસ્લામનું પાલન કરતા. મુસ્લિમ એલિયા, દરવેશ અને ઉલેમાઆની એમની ઉપર અસર રહેતી, તેથી તેએ ઇસ્લામનું પાલન કરવા ઉપરાંત એને પ્રસાર કરવાનું કામ પણ ધા`િક ઝનૂનથી કરતા. અમદાવાદના સ્વતંત્ર સુલતાના માંથી સુલતાન અહમદશાહ ૧ લે, મહમૂદ બેગડા અને મહમૂદ ૨ જો—એ ત્રણ સુન્નતાનેએ ઇસ્લામના પ્રચાર માટે ખાસ પ્રયત્ન કર્યો હતા. બાકી રહી આમ મુસ્લિમ પ્રજા, તેએા મોટા ભાગ ધર્માંતર કરેલ દેશી તત્ત્વાના હતા. તેઓએ ઇસ્લામના સ્વીકાર કરેલ હેઈ તેએ એનું પાલન ખંતપૂર્વક કરતા. ઇસ્લામનું પાલન કરવા માટે તેઓ બુદ્ધિ કે જ્ઞાનને બદલે શ્રદ્ધા અને વિશ્વાસને ઉપયેગ કરતા. ગુજરાતના મુસલમાનેામાં સુન્ની અને શિયા બંને મજહબના અનુયાયી હતા. એમાં સુન્નીઓની સંખ્યા ઘણી મેટી હતી, ગુજરાતમાં સુન્ની મજહબના પ્રચાર મુખ્યત્વે રાજ્યકર્તાઓની દેારવણીયી અને શિયા મજહબને પ્રચાર ધર્મોપદેશકેાના ખેથી થયેા હતેા. રાજ્યકર્તાથમાં મોટા ભાગના સુન્ની હતા, જ્યારે ગુજરાતમાં ઇસ્માઇલી શિયાના પ્રચાર માટે આવેલ મોટા ભાગના સંતા દાઈ અને પીર હતા.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy