SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારક [૫૧ પ્રહારના થરમાં ચંદ્રશાલાઓનાં અલંકરણ ચારુ ભાવ નિપજાવે છે. મડવરની સાદી જંધાનો મધ્યભાગ ભદ્રગવાક્ષોથી અલંકૃત છે. આ ગવાક્ષેના મથાળે ઉ૬ગમના સ્થાને ફાંસના ઘાટનું આમલક અને કલશ સાથેનું છાવણ રચનામાં નવીનતા આણે છે. શિખરના ભદ્ર તથા મુખભદ્રના વેણુકેશમાં ઊડા તક્ષણવાળી ઉભડક જાલકભાત છે. કણભાગના વેણુકોશમાં ચંદ્રશાલા અને આમલકની બાતમાં કોતરેલ સમતલ કર્ણકૂટોના આઠ થર છે. શિખર પર આમલક અને કલશ છે. આ મંદિરના ગર્ભગૃહના પંચશાખ દ્વારમાં અનુક્રમે પત્ર, સિંહ, મતિ, શિલ્પોથી મંડિત રૂપરતંભ, સિંહ અને પત્ર શાખાની યોજના છે. દ્વારના ઉબરમાં મંદારક અને કીતિ મુખને અભાવ છે. રૂપસ્તંભના મથાળે હીરગ્રહણ અને ભરણીની જના છે. દ્વારના તરંગમાં ફાંસના–મંડિત પાંચ ગવાક્ષોની હરોળ છેએ દરેકમાં મૂર્તિશિલ્પ કતરેલાં છે. ૧૨ અંજાર(તા. અંજાર, જિ. કચ્છ)ની દક્ષિણે આવેલા ભડેશ્વરના શિવમંદિરને સમગ્ર ભાગ સ્પષ્ટપણે પુરાણે જણાય છે. એની માંડણી તથા મૂર્તિઓની કોતરણી મેહક અને છટાદાર છે. ૧૭૩ મંદિરના ગર્ભગૃહનું તલમાન ત્રિરથ છે. શિખરના ભાગમાં ચંદ્રશાલા અને શિખર નીચેની ભદ્ર-રથિકાઓમાં દક્ષિણ દિશાએ ગણેશ-સિદ્ધિ, પશ્ચિમે બ્રહ્મા-સાવિત્રી, અને ઉત્તરે શિવ-પાર્વતીનાં યુગ્મ શિલ્પ છે. શિખર અને ઉર શૃંગ જાલક-ભાતથી વિભૂષિત છે. કર્ણરેખા પરનાં કર્ણકૂટી(ગે)માં પણ એ જ ભાત કોતરેલી છે. મંદિરના પીઠ ભાગના અર્ધરત્નમડિત કુંભ અને ભીટની રચના સાદી છે. મંડોવરની જંધાના ભદ્ર–ગવામાં પશ્ચિમે અંધકાસુર-વધ, ઉત્તરે શિવતાંડવ, અને પશ્ચિમે ચામુંડાનાં શિલ્પ છે. એમની બાજુમાં દિપાલનાં શિપ છે. ભદ્રની બંને બાજુએ કોણભાગમાં મુખ્યત્વે સુરસુંદરીનાં શિલ્પ છે. આ બધાં શિના મથાળે કીર્તિમુખોની પટ્ટિકાઓ છે. ભદ્ર અને કણ વચ્ચેના વારિમાર્ગમાં બિઠાલ, ગ્રાસ, વ્યાઘ અને વ્યાલનાં શિલ્પ મૂકેલાં છે. શૃંગારકીની વેદિકા ઘટ્ટપલ્લવાંકિત ખંભિકાઓ અને કલ્પવલીનાં આભૂષણથી વિભૂષિત છે. સ્તંભ-અંતરાલમાં દ્ધિાળુ જાળીઓ છે. અંતરાલ ઉપરનું શુકનાસ બચ્યું છે, પરંતુ શુંગારકીનું છાવણ નાશ પામ્યું છે. પુરાણી શૃંગારચોકીની આગળ પાછલા સમયમાં મંડપનું ઉમેરણ કરેલું છે ને એનું છાવણ સૂપકાર ઘાટનાં પગથિયાંવાળા સમતલ થરાથી વિભૂષિત કરેલ છે. અહીંનું અંબા માતાનું મંદિર અને એ સાથે મઠ પ્રાચીન મંદિરના અવશેષો પર બંધાયેલ છે. પ્રાપ્ત અવશેષોની શૈલી તથા શિલ્પસમૃદ્ધિ એ મંદિરનું અસલ સ્મારક ૧૦ મી સદીનું હોવાનું સૂચિત કરે છે. ૧૭૪
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy