SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૪ મું ] ધર્મસંપ્રદાયો [ ૩૯૩ - અભયસિંહ મહંત અભયસિંહ પંચકુલના મુખ્ય માણસ હતા અને ગંડથી પરવીરભદ્રના પારિપાશ્વક (સેવક–મદદનીશ) હતા. એમના પંચકુલે અર્જુનદેવના સમયમાં વિ. સં. ૧૩૨ (ઈ. સ. ૧૨૬૪)માં સોમનાથ દેવપટ્ટનમાં મસ્જિદના બાંધકામ અને એને લગતા દાનને તેમજ નાનાકના પ્રશસ્તિલેખને પ્રતિપતિ (અનુમતિ) આપી ' હતી.૨૧ પત્રિપુરાંતક અજુનદેવના સમયમાં તેઓ નવઘણેશ્વર મઠના સ્થાનપતિ હતા અને અર્જુનદેવના સમકાલીન હતા. સોમનાથ દેવપટ્ટનની મજિદને અપાયેલાં દાનમાં એ નગરની અંદર આવેલી એક પડાળી(પલ્લડિકા)ને સમાવેશ થાય છે. એ પડાળી દાન દેનાર ખેજા પીરેજે પત્રિપુરાંતક તથા વિનાયક ભટ્ટારક પરરનેશ્વર વગેરે પાસેથી લીધી ' હતી.૨૩ * આ પરથી પત્રિપુરાંતક, જે નવઘણેશ્વરના સ્થાન પતિ હતા તેમનું સ્થાન સોમનાથ પટ્ટનમાં આવ્યું હોવાનું જણાય છે. વિધારાશિ આ આચાર્યને ઉલ્લેખ સોમનાથ પાટણના પ્રવેશદ્વારની દીવાલમાં આવેલા સંવત વિનાના શિલાલેખમાં આવે છે.૨૪ લેખના વાચ્ય શબ્દ પરથી તેઓ પાશુપતાચાર્ય હતા એ નક્કી થઈ શકે છે. આના પછી તરત જ ખડેશ્વરના મઠને ઉલ્લેખ આવે છે. કારરાશિ સોમનાથ પાટણના પ્રવેશદ્વારની દીવાલમાં આવેલા સંવત વિનાના શિલાલેખમાં એમને ત્રણ વાર ઉલ્લેખ આવે છે.રપ આ લેખમાં પાશુપતાચાર્ય ગડથી વીરભદ્ર, વિદ્યારાશિ વગેરેના પણ ઉલેખ આવે છે. પરબૃહસ્પતિ - સોમનાથ દેવના સ્થાન પતિ વીરભદ્રની પુત્રી ઉમાના પતિ તરીકે ગંડકી પર બૃહસ્પતિને ઉલેખ સોમનાએ પાટણના ગૌરીકુંડના લેખમાં આવે છે. ઉમાના પતિ ગંડશ્રી બૃહસ્પતિએ અથત ગંડ પર બૃહસ્પતિએ ત્રિપુરાંતકને આચાર્ય બનાવીને ૬ ઠ્ઠા મહત્તર નીમ્યા એ ઉલેખ સિત્રાપ્રશસ્તિ(વિ. સં. ૧૩૪૩)માં આવે
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy