SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ સુ' ] સમકાલીન રાજ્યો [ ૧૮૭ અને એણે પેાતાના રાજ્યને વિસ્તાર વધારવા ઘણાં યુદ્ધ ખેલ્યાં. એણે કાશી સુધી સત્તા જમાવી હતી, એના સમયમાં અહમદ નિયાતિગીને પંજાબથી આવી, હુમલેકરી કાશીની લૂંટ ચલાવી હતી. ગાંગેયદેવે વળતી ચડાઈ કરી, પંજાબના કીર્ પરગણા સુધી વધી સફળતા પ્રાપ્ત કરી હતી. એના પછી એનેા પુત્ર લક્ષ્મીકણુ કિવા કહ્` ઈ. સ. ૧૦૩૪-૪૬ વચ્ચે ગાદીએ આવ્યા. એ પણ એના પૂવ જો જેવા પ્રબળ પરાક્રમી હતા. એ સમયે કાશી અને પ્રયાગ સુધી એની સત્તા હતી. કેટલાક સમય રાઢ (પૂર્વબંગાળા) પણ એની સત્તા નીચે હતું. એણે ધારાનરેશ ભાજદેવની સામે પડવા ગુજરાતના ભીમદેવ ૧ લાની મદદ મેળવી અને માળવા ઉપર ચડાઈ કરી. દરમ્યાન ખીમાર પડેલે ભાજદેવ ઈ. સ. ૧૦૫૫ ના વર્ષમાં મરણ પામ્યા અને બેઉએ માળવાને કબજો કરી લીધે. આ આપત્તિમાં ભાજના . પુત્ર જયસિંહે પશ્ચિમી ચાલુકય સેામેશ્વર ૧ લાની સહાય માગતાં સામેશ્વરે પેાતાના પુત્ર વિક્રમાદિત્ય ૬ ઠ્ઠાને મેાકલી આપ્યા, જેણે લક્ષ્મીકણુ અને ભીમદેવને હાંકી કાઢી માળવાના રાજ્યને હવાલેા જયસિંહને સોંપ્યા. આ પ્રસ ંગે ભાગીદારીમાં લક્ષ્મીક` અને ભીમદેવ વચ્ચે આંટ પડી અને ભીમદેવે ચેદિ પ્રદેશ ઉપર પ્રબળ આક્રમણ કરી લક્ષ્મીકણ ને નમાવ્યા અને ભાજદેવ પાસેથી મેળવેલી સુવણું – મપિકા અને કેટલાક હાથી-ધાડા એની પાસેથી મેળવ્યાં. એણે વૃદ્ધાવસ્થામાં. પોતાના પુત્ર યશઃણના રાજ્યાભિષેક ઈ. સ. ૧૦૭૩ પહેલાં થેાડા વખત પર કરી આપ્યા.૨૨૮ યશઃક સત્તા ઉપર આવતાં ચારે બાજુએથી શત્રુ રાજાએએ એને ભીંસમાં. લીધા હતા, જેને લઈ તે રાજ્યને ભારે આપત્તિમાંથી પસાર થવું પડયું હતું.૨૨૯યશઃકના સમગ્રમાં એના કેાઈ સેનાપતિએ લાટ ઉપર ચડાઈ કરી ત્યાં પકડ જમાવી હતી, એ પકડને ગુજરાતના ચૌલુક કણે ઉખેડી નાખી લાટને પેાતાની સત્તા નીચે લાવી મૂકયુ હતુ.૨૩૦ કહેવાય છે કે આ યશઃકણે સિદ્ધરાજ જયસિ ંહને એક સંધિપત્ર લખી. માકહ્યુ હતુ.૨૬ યશઃક પછી એના પુત્ર ગયાકણ સત્તા ઉપર આવ્યા. આરંભમાં જ એને ચ ંદેલના મદનવમાંને હાથે પરાજય મળ્યા. ગયાકણ ગુજરાતના ચૌલુકય કુમારપાલ ઉપર ચડાઈ કરવા નીકળ્યા, પણ મામાં જ કાઈ અકસ્માતમાં માર્યાં ગયા. ઈ. સ. ૧૧૫૫-૫૪ નાં વર્ષો દરમ્યાન ગયાકણ પછી. એને પુત્ર નરસિંહ અને ૧૧૫૯-૬૭ વચ્ચે એને પુત્ર જયસિંહ સત્તા ઉપર આવ્યા. રાજ્યારંભની નજીકનાં જ વર્ષામાં એને કુમારપાલ સાથે વિગ્રહ થયે.. અને એમાં એને સફળતા મળી હતી. એણે આવી ચડેલા તુરુષ્કાને પણુ સારે..
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy