SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ] સાલ ફી કાલ [31. પરિણામે પ્રભાસપાટણમાં લાંા સમય લડાઈ ચાલી નહિ. સ્થાનિક વીરાએ, એ પછી ગુજરાતના સૈનિકા હાય, સારના સૈનિકો હોય કે ગીરના અમુક ભાગમાં ચાવડાએની સત્તા હતી તેમના સૈનિકો હોય, મા ત્રણેના સૈનિકા સયુક્ત થઈ લડવા હોય, એ દિવસ તે મુસ્લિમ સૈનિકોને ભારે પ્રબળ સામનેા કર્યાં, પરંતુ નાસીપાસ ન થતાં તા. ૨ ૭ ફેબ્રુઆરીએ મહમૂદે સામનેા ખાળ્યે, સેમનાથના મંદિરને ધ્વસ્ત કર્યું અને શિવલિંગના ટુકડા કરી નાખ્યા. લૂટ લઈ એ ત્યાં માત્ર અઢાર દિવસ રહી સ્વદેશ ભણી રવાના થયા. આ વખતે ટૂં રસ્તા લેવાના લાભે યા તે અસલ મા` ઉપર ઠેર ઠેર રાજપૂતાની થયેલી તૈયારીના કારણે એણે કચ્છના માગ લીધે, જેમાં એના સૈન્યની સારી એવી પાયમાલી થઈ છતાંય એ છટકી ગયા.૨૫ ' ૧ ૧ પ્રભાસપાટણના ભદ્રકાલીના મંદિરમાંના શિલાલેખ( વિ. સં. ૧૨૨૫ઈ. સ. ૧૧૬૯ )માં જણાવ્યા પ્રમાણે ભીમદેલ ૧ લાએ સામનાથનું મ ંદિર ' રુચિતરમહાપ્રાયમિ: ' ( વધુ સુંદર એવા વિશાળ પથ્થરાથી ) બંધાવ્યું હતું,ક અને એના રાજ્યકાલ ઈ. સ. ૧૦૨૨ થી ૧૦૬૪ના છે.ર૭ રા' નેાંધણ ૧ લે। સત્તા હાથ કરે છે સ ંભવતઃ ઈ. સ. ૧૦૨૬ માં, એ જોતાં એ મહમૂદની ચડાઈ પછી જ ચૌલુકજ સત્તા નબળી પડતાં માથુ ઊંચકે છે એમ કહેવું યુક્તિયુક્ત કહી શકાય. શકય એ છે કે ભીમદેવ ૧ લે ગાદીએ આવ્યા તે પહેલાં જ યુવરાજ અવસ્થામાં સાલ કીઓના સારના આધિપત્યના સમયમાં જ એના પ્રબંધથી સામનાથનું મ ંદિર નવી માંડણી પામ્યુ હતુ. અને મહમૂદે ઈજા કરી તે આ નવા મંદિરને. નવા લિંગની સ્થાપના અને બીજી મહત્ત્વની મરામત ભીમદેવ ૧ લાના લાંબા રાજ્યકાલ દરમ્યાન થઈ અને એ પછીના સમયમાં ખારી હવાને કારણે જે નુકસાન થયું હશે તેને લક્ષ્યમાં લઈ ઈ. સ. ૧૧૬૯ સુધીના ગાળામાં કુમારપાલના રાજ્યકાલ દરમ્યાન મદિરની અસલ બેસણી( plinth )થી દોઢેક ફૂટ ઉપરથી નવા મંદિરની મૂળના ૬૪ ફૂટના લંબચોરસ મદિના સ્થાને પૂર્વમાં આગળ વધી, ૯૮ ફૂટની લંબાઈ આપી મેરુપ્રાસાદ'ના રૂપના નવનિર્માણની રચના કરાઈ. મંદિરની ચેગમ વિશાળ પથ્થરાની ફરસબંધી ભીમના સમયની હતી તેના ઉપર પુરાણ થયા પછી કુમારપાલના સમયની ફરસબંધી ફરીથી કરવામાં આવેલી સ્પષ્ટ રીતે માલૂમ પડી આવી છે. મહેમૂદના આક્રમણુ પછી જે કાંઈ અવ્યવસ્થા થેાડા સમય સુધી થઈ હશે તેનેા લાભ રા' નોંધણુ ૧ લાને પિતાનું રાજ્ય સ્થિર કરવામાં મળ્યા. આ બધા સમય પ્રભાસપાટણુ ઉપર તેા સત્તા સાલકીએની જ રહી હાય એમ લાગે છે.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy