SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સું] ધંધાદારી વર્ગો પ્રાચીન જાતિઓ : ઉત્પત્તિ અને આગમન [ ૪૬૭ ધંધાદારી વર્ગમાં સેાની, સુથાર, કંસારા, લુહાર, દરજી, કુંભાર, વાળંદ, વણકર, માળી ઇત્યાદિના ઉલ્લેખા મળે છે. એમનામાં પેટા જ્ઞાતિઓના ઉલ્લેખા સાંપડતા નથી, પણ વાણિયા–બ્રાહ્મણની જેમ આ વર્ગોમાં પણ ( ખાસ તેા સ્થળ પરત્વે તે જાતિ પરત્વે ) પેટા જ્ઞાતિએ પડવા લાગી હાય એવા સંભવ છે.૧૭૩ અસ્પૃશ્ય વ ઉધાડે માથે, ગળામાં થૂંકદાની લઈ ને ને પગલાં લૂંછવા કેડે ઝાડુ બાંધીને કરતા ઢેડ, ભંગી-અરણ્યેા ચૌલુકય સમયમાં જોવા મળે છે. આ વર્ગ કેવી રીતે અન્યેા હશે એ અંગે ધણાં અનુમાન થયાં છે; એમાંના કેટલાક જણ દ્રોના કે ચાકરી કરનાર વર્ગના લેાકેાના વંશજો હાઈ શકે, તેા કેટલાક પ્રતિલામ લગ્નથી થયેલી ( ખાસ તેા બ્રાહ્મણ સ્ત્રી તે શૂદ્ધ પુરુષની) સંતતિ, તેા કેટલાક પદચ્યુત કે બહિષ્કૃત રાજપૂતાની સંતતિ હેાઈ શકે, તેા ક્રેટલાક મૂળ વતની આદિવાસીમાંના લાંબા સમય સુધી તાખે થવાના નકાર કરતા લેાકેાની સંતતિ પશુ હાઈ શકે. ૧ ૧૭૪ આ ઉપરાંત આજે કાળા, ભીલ, દૂબળા, ધેાડિયા, ચેાધરા, ગામિત, નાયક, નાયકડા જેવાં નામે ઓળખાતા આદિવાસીએ પણુ વસ્તીમાં હોવા સ'ભવ છે.૧૭૫ વળી ઈરાની, અરખ અને પારસી કામે પણ પ્રાચીન ગુજરાતમાં સ્થિર વસવાટ કરતી જોવા મળે છે. આ પચરંગી મિશ્ર વસ્તીમાં મૂળ વતની કેણુ અને પરદેશી કાણુ ? બધા જ વર્ગો, વર્ણો અને જ્ઞાતિએમાં પરદેશી અને સ્થાનિક પ્રજાએનું વત્તાઓછા પ્રમાણમાં સંમિશ્રણ થયેલું છે. બ્રાહ્મણામાં સૌથી જૂના ભાવ મને અનાવિલ જેવી અસલની વસ્તી ઠીક્ર ઠીક પ્રમાણમાં ભળી હેાવા સંભવ છે, તે નાગર બ્રાહ્મણામાં પરદેશીઓ(ગુર્જર)ના અંશ હાવા સભવ છે. ક્ષત્રિય-રાજપૂતાનાં અનેક કુલેામાંના કેટલાક અસલી આદિવાસી લોકમાંથી, તા કેટલાક બહારથી આવેલી ગુર્જર જેવી જાતિઓમાંથી અનેલા હાઈ શકે.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy