SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ મું] યાદવે . [ w આવી એમણે યાદવેની હાજરીમાં સ્વતંતકની સોંપણી સત્રાજિત કરી. સત્રાજિત ખુશ થઈ પિતાની પુત્રી સત્યભામા કૃષ્ણ સાથે પરણાવી. સત્યભામા પ્રતિ આકર્ષણ પામનાર અન્ય યાદવ નેતાઓ- અપૂર અને કૃતવર્મા–સત્રાજિતના આ કૃત્યને સાંખી શક્યા નહિ. (લાક્ષાગૃહમાં બળી ગયેલા મનાતા) પાંડવોના અંતિમ સંસ્કાર કરવા વાર|વત ગયેલા કૃષ્ણની ગેરહાજરીને લાભ ઉઠાવી કૃતવર્માના નાના ભાઈ શતધન્વાએ સત્રાજિતને મારી નાખ્યો અને ચૂપકીદીથી મણિ અક્રને આપી દીધો. આ શક-સમાચાર સત્યભામાએ વારણાવત જઈ કૃષ્ણને આપ્યા. કૃષ્ણ દ્વારકા આવી શતધન્વા સાથે કંઠયુદ્ધ કર્યું. શતધન્વા નાસી છૂટતાં કૃષ્ણબલરામે એને પીછો કર્યો. તેઓ મિથિલા પાસે આવી પહોંચ્યા. શ્રમિત ઘોડાઓને આરામ આપવા કણે બલરામને થંભી જવા કહ્યું કે પોતે દેડી શતધન્વાને પકડી મારી નાખ્યો. શતધન્ધા પાસેથી મણિ ન મળ્યો હોવાની કૃષ્ણની વાત બલરામને વિશ્વસનીય ન લાગી તેથી તેઓ નારાજ થઈ મિથિલા ચાલ્યા ગયા અને વર્ષો પર્યત દ્વારકાને ત્યાગ કરી ત્યાં જ રહ્યા. એક વાર કૃષ્ણ ભરી સભામાં અપૂર પાસે સ્યમતની માગણી કરી. વાત છૂપી ન રહી શકી તેથી અક્રૂરે મણિ કાઢી આપ્યો. યાદવોને આશ્ચર્ય થયું. સ્યમંતક મણિને પ્રસંગ કૃષ્ણની કપરી કસોટીને હતો. એને લઈને યાદવ નેતાઓમાં આપસ-આપસમાં ખટરાગ ઊભો થયો હતો. કણે પિતાના ઉપર ચડેલા આળને શાંતિથી ઉતાર્યું. એમણે જરા જેટલી પણ ધીરજ ખોઈ હેત તે યાદવોમાં આંતરવિગ્રહ ફાટી નીકળત. સુમિણી વૈદર્ભી કૃષ્ણની પ્રથમ પત્ની હતી. સ્યમંતક મણિના પ્રસંગ વખતે રોહિણી જાંબવતી અને સત્યભામા સાત્રાજિતી સાથે કૃષ્ણનાં લગ્ન થયાં. માંધાર દેશની સત્યા નાગ્નજિતીના સ્વયંવરમાં ઉપસ્થિત રાજાઓને પરાભવ કરી કૃષ્ણ સત્યા સાથે લગ્ન કર્યા. કૃષ્ણ વાસુદેવની આઠ પત્નીઓ હતી : રકમિણી વૈદર્ભો, સત્યભામા સાત્રાજિતી, રોહિણી જાંબવતી, સત્યા નાગ્નજિતી, મિત્રવિંદા કાલિંદી, સુશીલા માદ્રી, સુદત્તા શૈખ્યા અને લક્ષ્મણું. પશ્ચિમ ભારતમાં વસતા યાદવને પ્રતાપ (સંભવતઃ પૂર્વ ભારતના છેડે આવેલા) પ્રાગૃતિષપુરનાક અસુર નરક સુધી પહોંચે એવું કૃષ્ણ વાસુદેવે કરેલા નરકાસુર–વધ પરથી ફલિત થાય છે. અનુશ્રુતિઓ મુજબ નરકાસુરને મૂલ્યવાન
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy