SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ છે સુ* 1 આદ્ય ઐતિહાસિક સ’સ્કૃતિ [૧૯૩ રંગપુરમાં મુટ્ઠા દ્વિ-શંકુ મણુકા હજી પણ લેાકપ્રિય હતા. આ સ્થળે પથ્થરનાં ધનાકાર તેાલાંને સ્થાને ગાળાકાર તેાલાં પણ આવી ગયાં હતાં. આમાં ચને બદલે રેતિયા પથ્થર અને શિસ્ટ વપરાતા રહ્યા હતા. એ જ રીતે રંગપુર ૨૬ માં અને રૂમાં માટીની પકવેલી બંગડીએને બદલે છીપની બંગડીઓ આવી ગઈ હતી. સેલખડીના ચંદા–ધાટના મણકા અદૃશ્ય થઈ ગયા હતા, પરંતુ છીપના ઝીણા મણકા કાલ રૂ માં વપરાતા ચાલુ રહ્યા હતા; પરંતુ ચળકતાં લાલ મૃત્પાત્ર વાપરનારા લેાકાએ કાચી ઈંટાનાં બાંધેલાં મકાનામાં પ્રાકાલીન સગવડનો અભાવ હતા, છતાં કાલ ૨૬ માં નજરે અગ્નિવેદીએ હડપ્પીય કર્મકાંડનું સાતત્ય સૂચવે છે. પડેલી સમગ્ર રીતે જોતાં એમ કહી શકાય કે અનુકાલીન હડપ્પીય સંસ્કૃતિમાંથી નીકળેલી ચળકતાં લાલ મૃત્પાત્રો(૫ટ્ટ ૩૦, આ. ૧૫૩)ની સંસ્કૃતિને નવું બળ મળ્યુ હતું અને એને સૌરાષ્ટ્રના દ્વીપકલ્પની બહાર વિકસવાને માટે નવા વિસ્તાર મળ્યા હતા. એનાં ચળકતાં લાલ મૃત્પાત્રોના પ્રકારનાં વિશિષ્ટ કુંભારી પાત્ર પૂર્વમાં છેક મેવાડના ઉચ્ચ પ્રદેશમાં આહાડ સુધી, સેાન નદીની ખીણમાં એરણુ સુધી અને દક્ષિણમાં છેક ચંદાલી સુધી પહેાંચ્યાં હતાં.૨૦ ચળકતાં લાલ મૃત્પાત્રો વાપરનારા લાકાને તદ્દત જાણીતાં કાળાં–અને–લાલ મૃત્પાત્ર ઈ. પૂ. બીજી સહસ્રાબ્દીમાં મધ્યભારત અને દખ્ખણની અનુ હડપ્પીય તામ્રપાષાણુ સંસ્કૃતિની મહત્ત્વની લાક્ષણિક ભાત પાડતાં હતાં. એ વખતે ઉત્તરમાં કાળાં–અને લાલ મૃત્પાત્ર છે. પૂ. પહેલી સહસ્રાબ્દીમાં ગંગાની ઉપરની ખીણનાં ચિત્રિત રાખેાડિયાં મૃત્પાત્રો સાથે અને બિહારનાં ચિરંતૢ અને બીજા સ્થાનાનાં નૂતન પાષાણયુગીન રાખાડિયાં મૃત્પાત્રો સાથે મિશ્રિત થઈ ગયાં. સૌરાષ્ટ્રનાં લેાથલ અને રંગપુર એ બે મુખ્ય કેંદ્રોમાંની હડપ્પીય સંસ્કૃતિની પડતીની અવસ્થાના તાગ મેળવ્યા પછી ખીજાં વધુ નાનાં કેંદ્રો તરફ વળીએ, જેણે સમય અને સ્થળની દૃષ્ટિએ સિંધુ સભ્યતાના વિસ્તારમાં મહત્ત્વને ભાગ ભજન્મ્યા અને એક બાજુ માતૃસંસ્કૃતિ સાથે તેા ખીજી બાજુ હડપ્પીયાનાં સમુદ્રપારનાં સંસ્થાના સાથે નવા સંબંધ બાંધ્યા. ચ્યા. શ્રીનાથગઢ (રાડી ) લેાથલમાંના ત્રીજા પૂર (ઈ. પૂ. ૨૦૦૦) પછી તરત જ વધુ સારી સહીસલામતી માટે હડપ્પીયેા સૌરાષ્ટ્રના દ્વીપકલ્પના અંદરના ભાગમાં ખસ્યા. કેટલાક રંગપુરમાં જઈ સ્થિર થયા અને ચાઢા ખીજા પશ્ચિમ દિશાભણી
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy