SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. તેજસ પુગલ પરાવર્તઃ તેજસ વર્ગણાઓ કાર્મણ વર્ગણાથી સ્થૂલ છે તથા કાર્મણથી ઓછા પ્રદેશની બનેલી છે. તેથી એક સમયે કાર્મણથી ઓછા પુદ્ગલો ગ્રહણ થાય છે, માટે કાર્મણથી તેના અનંતગુણ કાળે પુગલ પરાવર્ત પૂરું થાય છે. ૩. ઔદારિક પુલ પરાવર્તઃ ઔદારિક વર્ગણાસ્થૂલ છે. અલ્પપ્રદેશવાળી છે તથા સર્વત્ર (સર્વગતિમાં) ગ્રહણ થતી નથી. (દેવ- નરક ભવમાં તે ગ્રહણ શરીર રૂપે ન કરે, તેથી તેજસ વર્ગણાથી અધિક કાળ ઔદારિક વર્ગણા પૂર્ણ કરવામાં લાગે અર્થાત્ તૈજસથી ઓદારિક પરિવર્તનનો નિષ્પત્તિકાળ અનંતગુણ છે. જીવને પોતાના ચિદાનંદ સ્વભાવમાં રહેવા દારિક પરાવર્તનકાળ બાધક બને છે. આખા દિવસમાં જે ઈચ્છાઓ થાય તે બધી દારિક વર્ગણાની જ થાય છે. વાયુકાયના ઔદારિક શરીરની સ્પર્શેચ્છા તથા ખાવા પીવા, પહેરવા વગેરેની જે જે ઈચ્છાઓ તે ઔદારિક વર્ગણાની છે. તેમાં ઉદાસીન પરિણામ આવવો જરૂરી છે. ૪. શ્વાસોચ્છવાસ પુલ પરાવર્તઃ દારિક વર્ગણા કરતા શ્વાસોશ્વાસ સૂક્ષ્મ તથા બહુuદેશી હોવા છતાં તે અપર્યાપ્ત અવસ્થામાં ગ્રહણ ન થાય અને પર્યાપ્ત અવસ્થામાં પણ દારિક શરીરના પુદ્ગલોની અપેક્ષાએ ઓછી ગ્રહણ થાય. તેથી ઓદારિક આવર્તથી અધિક કાળ લાગે અર્થાત્ ઔદારિક પુદ્ગલ પરાવર્ત કાળથી શ્વાસોચ્છવાસ પુલ પરાવર્તકાળ અધિક છે અર્થાત્ અનંતગુણ નિષ્પત્તિ કાળ છે. ૫. મન પુગલ પરાવર્તઃ આણપાણ (શ્વાસોચ્છવાસ)થી સૂક્ષ્મ અનેબuદેશી હોવા છતાં એકેન્દ્રિયાદિમાં તેનું ગ્રહણ થતું નથી અને લાંબાકાળે જયારે સંજ્ઞીપણું (મન) મળે ત્યારે જ ગ્રહણ થાય છે. તેથી શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલ પરાવર્તકાળ કરતાં અધિક છે અર્થાત્ અનંતગુણ નિષ્પતિ કાળ છે. ૬. ભાષા ગુગલ પરાવર્તઃ મન કરતા ભાષા શીધ્ર પ્રાપ્ત થાય છે, કેમકે બે ઈન્દ્રિયાદિ અવસ્થામાં હોય છે. તો પણ મનોદ્રવ્યથી ભાષાદ્રવ્ય સ્થૂલ હોવાથી એક સમયે અલ્પ ગ્રહણ થાય છે. તેથી મનઃપુદ્ગલપરાવર્તથી અનંતગુણ છે. 78 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy