SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહણ કરી અને પરિભ્રમણ કરવા રૂપ અનંતાનંત આવર્તો અનંતાનંત કાળ સુધી કર્યા છતાં હજુ તેનામાં વિરામ પામવાનું મન થતું નથી, તેના સંગથી છૂટવાનું મન થતું નથી તો આપણને સતત વિચાર આવવા જોઈએ કે હજુ મને તુચ્છ રૂપવાન, ભરાવદાર, અનુકૂળ શરીરમાં રોગ થાય છે અને હજુ તેના સુખ છોડવાનું મન થતું નથી અને જરાય કાયાને દુઃખ આપવાનું કે દુઃખ વેઠવાનું મન થતું નથી. તો જિનવચન વિચારવું જોઈએ કે આ જીવે સંસારમાં પરિભ્રમણ કરતા જે દેહ પ્રાપ્ત કર્યા છે તે ભેગા કરવામાં આવે તો સમુદ્રોના સમુદ્રો ભરાય. जीवेण भवे भवे मिलियाई, देहाई जाई संसारे। ताणं न सागरेहिं कीरइं संखा अणंतेहिं ॥४७॥ | (વેરાગ્ય શતક) અનંતકાળથી જે સંસાર સાગરમાં પરિભ્રમણ કર્યું તેમાં ચાર ગતિમાં સૌથી રોગરહિત એવું સુખી રૂપવાન શરીર દેવોને પ્રાપ્ત થાય છે અને તે દેવભવની પ્રાપ્તિ પણ જીવને અનંતવાર થઈ ચૂકી હશે. તીર્થંકરપણું, અનુત્તરદેવ, લોકાંતિકદેવ, ચક્રવર્તીપણું અને ભાવ સાધુ સિવાયના બીજા પર્યાયો જીવને અનંતીવાર પ્રાપ્ત થયા. અનંતીવાર દેવ સમૃતિઓ ભોગવી છતાં જીવ તૃપ્ત ન થયો તો હવે આ જીવ મનુષ્ય ભવરૂપી તુચ્છ સુખોમાં તૃપ્ત કઈ રીતે થશે? અતુમ જીવના પરિભ્રમણનો અંત પણ નહીં આવે. ૪. ભાવ પૂગલ પરાવર્તકાળ: સર્વ રસબંધના અધ્યવસાય (કષાય ઉદયજન્ય) સ્થાનોને ૧૪ રાજલોકના અસંખ્યપ્રદેશો છે તેટલા રસબંધના સ્થાનો છે. કષાયના તરતમતાના યોગે જે અસંખ્ય રસબંધના સ્થાનો તે દરેક રસબંધના સ્થાનોને જીવ ક્રમસર અનુભવીને સ્પર્શીને મૂકે, તેમાં જે કાળ પસાર થાય તે સૂક્ષ્મભાવ પુદ્ગલ પરાવર્તકાળ કહેવાય. ક્રમ વિના મરણ કરીને બધાય અધ્યવસાય સ્થાનોને સ્પર્શે તો બાદરભાવ પુદ્ગલ પરાવર્ત કહેવાય. આ ભાવ પુલ પરાવર્તકાળ દ્રવ્ય પુલ પરાવર્તકાળથી પણ અધિક છે. આમ કાળ કરતા ક્ષેત્ર, ક્ષેત્ર કરતા દ્રવ્ય અને દ્રવ્ય કરતા ભાવ અધિક અધિક વૃદ્ધિવાળો છે. આ ચારમાં સૌથી વધારે મહત્તા ભાવપુદ્ગલ પરાવર્તકાળની છે. જયાં સુધી જીવ ભાવને છોડતો નથી ત્યાં સુધી જન્મરૂપ-મરણરૂપ પુદ્ગલ દ્રવ્ય ગ્રહણ મોચન ઉભા રહે છે. દ્રવ્ય પુદ્ગલના આધારે ક્ષેત્ર અને કાળ તે બન્ને 76 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy