SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ તેનું અસ્તિત્વ બતાવે છે. જયારે વ્યવહારકાળ માત્ર સૂર્ય-ચંદ્રની ગતિના આધારે છે. સૂર્ય-ચંદ્ર અઢીદ્વીપમાં જ મેરુને પ્રદક્ષિણા આપે છે આથી વ્યવહાર કાળ માત્ર અઢીદ્વીપમાં જ છે. અઢીદ્વીપની બહાર પણ અસંખ્ય દ્વીપ સમુદ્રો, અસંખ્ય સૂર્યચંદ્ર વગેરે છે, પણ તે સ્થિર છે. ગતિ કરતા નથી. આથી વ્યવહાર કાળરૂપ દિવસ રાત્રિ હોતી નથી. તેજ રીતે ઊર્ધ્વલોક (દેવલોક)માં તેમજ અધોલોક (નરક)માં પણ વ્યવહાર કાળ નથી. દેવલોકમાં સદા દિવસ જેવું વાતાવરણ રહે છે કારણ કે ત્યાં વિમાનોમાં રત્નોનો પ્રકાશ સતત પ્રકાશિત રહેતો હોવાથી તથા વૈક્રિય શરીર કાંતિમય હોવાથી ત્યાં સૂર્ય પ્રકાશની જરૂર નહીં જ્યારે નરકમાં અમાસની રાત્રી જેવો અંધકાર સદા હોય. દેવ-નરકના આયુષ્યની ગણતરી વગેરે અઢીદ્વીપના વ્યવહારકાળના આધારે થાય છે. વ્યવહાર કાળ વિવિધ સંજ્ઞાવાળું હોય છે, જેના કેવલી પણ બે વિભાગ ન કરી શકે તેવા કાળને એક સમય કહેવામાં આવે છે અને તે નિશ્ચય કાળરૂપ છે. (નિશ્ચય કાળનું સ્વરૂપ વિશેષથી આગળ કહેવામાં આવશે.) ૧. વ્યવહાર કાળનું સ્વરૂપ - વ્યવહારમાં ઉપયોગી કાળ: ગાથા: ૧૨ એના કોડી સાસઠી લખા સહારીસહસ્સાયા દોય સયાસોલઆ, આલિયા ઈગ મુહુતમિારા અર્થઃ એક મુહૂતમાં એક ક્રોડ, સડસઠ લાખ, સિત્તોતેર હજાર, બસ્સો ને સોળ આવલિકા થાય છે. ગાથા: ૧૩ સમયાવલી મુહુરા, દીહાપખાય માસ વરિસાયા ભણિઓ પલિઆ સાગર, ઉસ્સપ્રિણિ-સાDિણી કાલોલ અર્થ: સમય, આવલિકા, મુહુર્ત, દિવસ, પક્ષ, માસ, વર્ષ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી એ કાળ છે. અસંખ્ય સમય બરાબર એક આવલિકા. આવલિકા એ વ્યવહાર કાળ છે. ર૫૬ આવલિકા કાળ પસાર થાય ત્યારે સૂક્ષ્મ નિગોદના એક જીવને સૂક્ષ્મ નામકર્મના 56 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy