SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કાળઢવ અનંતકાળ અથડાયો, વિના ભાન ભગવાન સથુરુસેવ્યા નહિ, મૂકયું નહિ નિજ અભિમાન (શ્રીમ) અનંતાનંત કાળથી આત્મા અથડાઈ રહ્યો છે. કુટાઈ રહ્યો છે, ભમી રહ્યો છે કોના કારણે? કોની સાથે? આ જો આપણને ખ્યાલ આવે તો આપણને આપણા આત્મા પર દયા આવે, તો આત્માનો ઉદ્ધાર કરવાની ભાવના, રુચિ અને પુરુષાર્થ થાય, તો મળેલો મનુષ્ય ભવ સફળ થાય. છ દ્રવ્યમાં માત્ર પુદ્ગલદ્રવ્ય રૂપી છે. બાકી બધા અરૂપી છે. જે અરૂપી દ્રવ્ય હોય તે નિર્લેપ, નિર્મળ અને નિર્વિકાર હોય તેથી તે કોઈની સાથે એકમેક થઈ શકે નહીં. પુદ્ગલદ્રવ્ય માત્ર રૂપી છે રૂપીળ: પુરાના. તેમાં માત્ર રૂપ જ છે એટલું જ નહીં, તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પણ હોય છે, આકાર પણ હોય તેથી વિકારી સ્વભાવ પણ છે. આત્મા કાળ અનાદિ અતીત અનંત જે પર રકત પુદ્ગલદ્રવ્ય સાથે આત્માનો સંયોગ સંબંધ દૂધ પાણીની જેમ કે લોહ-અગ્નિની જેમ એકમેક થઈ ગયો છે. અભેદ રૂપે થઈ ગયો છે અને તેના કારણે આત્મા પોતાનું સ્વરૂપ-સ્વભાવ ભૂલી ગયો અને પુદ્ગલના સ્વરૂપને-સ્વભાવને પોતાનું સ્વરૂપ-સ્વભાવ માનીને પોતાના 52 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy