SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ નિજ ઘરમેં પ્રભુતા તેરી, પરસંગે નીચ કહાવો પ્રત્યક્ષ રીત તુમ ઐસી ગ્રહિએ, આપ સ્વભાવે રહીએ. अहोअनंत वीर्योअयमात्मा, विश्व प्रकाशकः। त्रैलोक्यं चालयत्येव, ध्यानशक्ति प्रभावतः॥ (યોગ પ્રદીપ) શુદ્ધ આત્મા અનંતવીર્યને ધારણ કરનારા, ૧૪ રાજલોકમાં વ્યાપી જવાનું સામર્થ્ય ધરાવનારા, લોકાલોકનું કેવલજ્ઞાન વડે પ્રકાશ કરનારા અને સ્વની અનંતશક્તિ વડે ત્રણ ભુવનને ચલાયમાન કરવાની અચિંત્ય શકિતને ધારણ કરનારા એવા આત્માની કર્મસત્તાએ કેવી કેવી દશા કરી છે? જે લોકાલોકને ઓળખાવી શકે, તેવા આત્માને વિશિષ્ટજ્ઞાની સિવાય કોઈ જોઈ પણ ન શકે, ઓળખી પણ ન શકે, તેવી નિગોદના સૂક્ષ્મ ભવ તરીકેની નીચ દશામાં ફેરવી નાંખવાનું કામ કર્મસત્તાએ કર્યું છે. આ સમજવા પુદ્ગલનું સ્વરૂપ વિશેષથી સમજવું જરૂરી છે. પુદ્ગલની અંતિમ અવસ્થા પરમાણુ છે. મr = મvયક્તિ = મનવમ્ (ઓળંગી જવું) ઈન્દ્રિયોના વિષયને જે ઓળંગી જાય અર્થાત્ છદ્મસ્થોને ઈન્દ્રિય વડે જેનું જ્ઞાન ન થાય. परमाणु-सूक्ष्मोनित्य भवति परमाणुः एक रस-गंधवर्णो द्वि स्पर्शाः कायश्चलिङगा ॥ | (જેન તત્ત્વ પ્રદીપ) પુદ્ગલનો અંતિમ વિભાગ (અવયવ) તે પરમાણુ, જેના કેવલી પણ બે વિભાગ ન કરી શકે. તે સૂક્ષ્મ જ હોય. બેકે તેથી વધારે પરમાણુનો સ્કંધ બને તે સ્કંધી સૂક્ષ્મ અને બાદર પરિણામ હોય. સૂક્ષ્મ અને બાદરઃ પરમાણુ સૂક્ષ્મ પરિણામી છે. સ્વતંત્ર રૂપે જ છે તે સ્કંધરૂપે નથી. પરમાણુ શાશ્વત છે, તે કદી પણ નાશ પામતા નથી. દરેક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ અને એક રસ અને બે અવિરુદ્ધ સ્પર્શ હોય છે. (સ્નિગ્ધ હોય તો રુક્ષ ન હોય, શીત હોય તો ઉષ્ણ ન હોય અર્થાત્ સ્નિગ્ધ-શીત, સ્નિગ્ધ-ઉષ્ણ, રૂક્ષશીત, રૂક્ષ-ઉષ્ણ. આ ચાર વિકલ્પોમાંથી ગમે તે એક વિકલ્પ હોય પણ સ્નિગ્ધ અને રૂક્ષ ન હોય, શિત અને ઉષ્ણ ન હોય.) અજીવ તત્વ | 27
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy