SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ભેદ થયાતે ૭ પર્યાપ્ત અને 9 અપર્યાપ્ત અવસ્થાવાળા આમ પુદ્ગલમય આત્માના ૧૪ ભેદ છે. જયારે સિદ્ધાત્માનો માત્ર એક જ ભેદ છે. તેમાં કોઈ ભેદ છે જ નહીં અને બધા જ સિદ્ધો સ્વરૂપે અને સ્વભાવે સમાન છે. (૪) પુદગલાસ્તિકાય: પ્રદેશ દ્રવ્ય સાથે સંલગ્ન હોઈ, જોડાઈને રહેલો દ્રવ્યનો નિર્વિભાજય અંશ છે જ્યારે પરમાણુ દ્રવ્યનો નિર્વિભાજય અંશ છે પણ તે દ્રવ્ય સાથે સંલગ્ન નથી, પણ તેનાથી છૂટો થયેલો સ્વતંત્ર અંશ છે. ૧. સ્કંધ = દા.ત. લાડવો. આખો લાડવો-સ્કંધ ૨. દેશ = દા.ત. લાડવાનો એક ભાગ (એક કટકો) તે દેશ. ૩. પ્રદેશ = લાડવાનો કણિયો જે લાડવા સાથે જોડાયેલ હોવા છતાં લાડવાનો અવિભાજય વિભાગ, જેના કેવલી પણ બે ભાગ ન કરી શકે. ૪. પરમાણું = લાડવાનો છેલ્લો કણિયો (પ્રદેશ) જે લાડવાથી અલગ વિખૂટો પડેલો હોય તે પ્રદેશ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયને દરેકને સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ત્રણ હોય છે. જયારે પુદ્ગલના ચાર ભેદ છે – સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. કાળનો એક જ ભેદ તેને અસ્તિકાય નથી. અતિ = પ્રદેશ અને કાય = સમૂહ. કાળ એક વર્તમાન સમય રૂપ છે. ભૂતકાળ નાશ પામ્યું છે અને ભવિષ્યકાળ ઉત્પન્ન થયું નથી. માત્ર વર્તમાન એક સમયરૂપ છે તેથી તેને એક જ ભેદ છે. અજીવના ૧૪ ભેદ: ધર્માસ્તિકાય : સ્કંધ-દેશ-પ્રદેશ અધર્માસ્તિકાય : સ્કંધ-દેશ-પ્રદેશ આકાશાસ્તિકાય : સ્કંધ-દેશ-પ્રદેશ પુદ્ગલાસ્તિકાય : સ્કંધ-દેશ-પ્રદેશ-પરમાણુ કાળ 0 0 0 ક 2 કુલ ૧૪ ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યો પ્રદેશોના અખંડ સમૂહરૂપ છે, જ્યારે પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર પરમાણુના ભેગા થયેલા સંયોગ સંબંધરૂપ સ્કંધ છે તેથી તેમાંથી પરમાણુઓ અજીવ તત્વ | 19
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy