SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૬) ઈષ્યવાન, દ્વેષીનું આભામંડલ મેઘ જેવું શ્યામ. ૭) ક્રોધી માનવીનું તેજ ઘેરા લાલ રંગવાળું કષાય સમુદ્યત વખતે જોવા મળે. ૮) વિદ્વાન બુદ્ધિવાનનું તેજ પીળું તેથી આચાર્યશ્રીનો રંગ પીળો. ૯) કપટ સ્વભાવવાળાનું તેજ ઘેરા રંગનું ૧૦) ઉત્કૃષ્ટ આભામંડલ તીર્થંકર પરમાત્માને હોય. જીવની ભાવના, લેગ્યાની શુદ્ધતા અને અશુદ્ધતાના આધારે પ્રસારિત કિરણોની આભામંડલની સ્વચ્છતા અને મલિનતા બની રહે છે. तच्चित्त, तत्मना, तल्लेश्या, तत् तध्यवसाय (અનુયોગ) ચિત્ત-મન-લેશ્યા અને અધ્યવસાય જુદા જુદા છે. સામાન્ય વસ્તુનો ખ્યાલ (બોધ) તે અધ્યવસાય. તેને અનુરૂપ સંસ્કારો પ્રમાણે રાગ-દ્વેષની ભાવના પ્રગટવી તે લેશ્યા. ભાવના પ્રમાણે અનુકૂળ કે પ્રતિકૂળના સંરક્ષણ માટે ચિત્ત શક્તિ અને બુદ્ધિ શક્તિ અનુસાર ચિંતન રૂપ કલ્પના તે મન. મનની કલ્પના પ્રમાણે જ્ઞાનતંતુઓ દ્વારા મગજને સંદેશો મળે છે. મગજ દ્વારા ક્રિયાવાહી અવયવો સક્રિય બને છે. એટલે અધ્યવસાય. વેશ્યા, ચિત્ત અનુરૂપ મનવચન-કાયાની પ્રવૃત્તિ સતત ચાલ્યા કરે છે. ભાવતંત્ર એટલે લેવા : જ્ઞાનતંત્ર અને ચિત્તતંત્ર અધ્યવસાયથી ભાવની વિશુદ્ધિ અને ભાવથી વ્યવહારની વિશુદ્ધિ થાય. ભાવથી વિચાર અને વિચારથી ક્રિયા છે. ક્રિયા સ્કૂલ છે. ક્રિયાથી વિચારસૂક્ષ્મ, વિચારથી ભાવ સૂક્ષ્મ છે. વિચાર, ક્રિયા, શારીરિક અવયવો (સ્નાયુ) ના માધ્યમથી થાય ભાવ તો લેશ્યાની પ્રવૃત્તિ રૂપ છે. સંસારી જીવોને મમતાના કારણે લેશ્યા કિલષ્ટ બને અને અધ્યાત્મી આત્માને પ્રમાદને કારણે લેશ્યા કિલષ્ટ બને છે. લેશ્યાના પ્રવર્તનમાં તૈજસ અને કાર્મણ શરીર મુખ્ય ભાગ ભજવે છે. તેથી બીજા ભવમાં પણ લેશ્યા સાથે હોય છે. લેશ્યા અને અનુબંધનો સંબંધ: લેશ્યા એ અનુબંધની બીજી શક્તિ રૂપે, સુષુપ્ત અવસ્થારૂપે, જીવમાં પડી હોય 302 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy