SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ તો પુણ્ય જ બંધાય અને પુણ્ય એ અરિગ્રહ જ છે. તમારો આગ્રહ ક્યાં છે? પરિગ્રહ છોડવામાં કે પરિગ્રહ ભેગો કરવામાં અર્થાત્ નિર્જરા કરવામાં કે પુણ્ય બાંધવામાં? પરિગ્રહ છોડ્યો એ નિર્જરા. પુચ બંધાવું એ પરિગ્રહ ભેગો કર્યો. પર અપેક્ષા સંસાર છે, પર ઉપેક્ષા મોક્ષ છે. જગત જેની અપેક્ષા કરે તેની જ મુનિ કે ઉપેક્ષા કરે. બસ એટલું જ કરવાનું છે. મિથ્યાત્વ નીકળે નહીં ત્યાં સુધી તે પરની અપેક્ષા જ કરાવશે. સમ્યગ્દર્શનનું કાર્ય પરની ઉપેક્ષા તથા સ્વની અપેક્ષા કરવાનું છે. ચારિત્રનું કાર્ય છે પોતાને માણવું. સમ્યત્વ પરથી વિમુખતા કરાવશે અને સ્વનો સ્વીકાર કરાવશે ને ચારિત્ર પોતાનું જે છે તેને માણવાનું કાર્ય કરે છે. આત્માને પુદ્ગલના ૧૦ પરિણામની રુચિ અનાદિથી છે તે ન છૂટે તો આત્માને આત્માના ગુણોની રુચિ નહીં થાય માટે પરની રુચિ ન થવી જોઈએ તો આત્મ હિત થાય અને એની માટે પોતાની સિદ્ધ અવસ્થાનો નિર્ણય થવો જોઈએ. તો જ સ્વભાવ તરફ જવાનો એનો નિર્ણય થાય. ભાવથી ઊર્ધ્વગતિ મનવાળા આત્મા જ કરી શકે માટે અસંજ્ઞી તમામ આત્માઓ આત્માનું અહિત જ કરી રહ્યા છે, તે ઊર્ધ્વગતિ કરી શકતા નથી. તેમની માટે અકામ નિર્જરા જ એક ઉપાય છે તેના દ્વારા જ તે આગળ આવી શકે. મનનો જો દુરુપયોગ કર્યો તો કર્મસત્તા પછીના ભવમાં તેનું મન લઈ લે. તેને પ્રાયઃ સંમૂછિમ અવસ્થાના જ ભવો મળે. કર્મે આપેલા તમામ પર્યાયો પણ પુદ્ગલ જ છે. કારણ કર્મ પોતે જ પુદ્ગલ છે. તેના દ્વારા મળે તે પણ પુદ્ગલ જ મળે. તમામ સંબંધો પણ કર્મકૃત જ છે. તેને જિનવચન ગમ્યા કે પુદ્ગલ? તેણે પત્નીના આત્માને નથી જોયો માટે તેને આત્મા નથી ગમ્યો. પુદ્ગલ જ ગમ્યું માટે જ મરીને તેમાં જ જૂ તરીકે ઉત્પન્ન થયો. શાસ્ત્રોમાં દષ્ટાંતો આપવામાં આવે છે તેનાથી પોતાના આત્મામાં અનુપ્રેક્ષા કરવાની છે. વાર્તા માત્ર સાંભળવાની નથી. ૧૪ પૂર્વનું જ્ઞાન પણ જો આત્મામાં અનુપ્રેક્ષા ન કરાવે, આત્મામાં પરિણામ પામીને તન્મયતા નથી કરાવતું તો બધું જ દ્રવ્ય કૃતજ્ઞાન છે. સમગ્ર જીવરાશિની વિચારણા શા માટે કરવાની છે? જેને મન મળ્યું છે તે જ આત્મહિત કરી શકે મન વગરના આત્મહિત કરી શકતા નથી માટે મનને સમ્યગ્દર્શનથી વાસિત કરવામાં આવે તો જ તેનું હિત થાય માટે ભાવથી આત્માની ઊર્ધ્વગતિ તે આત્મવીર્યનું આત્માના ગુણોમાં પરિણમન થવું તે છે અને તે આપણે કરી શકીએ છીએ. ધર્મની સ્થાપના અને ધર્મની આરાધના આત્માના ગુણો સાથે જોડાવા માટે અને પરના સંબંધોથી છૂટવા માટે છે. અજીવ તત્વ | 287
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy