SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વજ્ઞાદિ ગુણો પર સ્વમાં સર્વજ્ઞ બનવાની રુચિ સહિતનો છે. તેઓ જિનાગમ વડે પોતાનો આત્મા સત્તાએ સર્વજ્ઞ માને છે. સર્વ જીવોના સ્વરૂપને કહીને સર્વ જીવો હણવા યોગ્ય નથી તે વાત સમજાય તો જ સર્વજ્ઞ બનાય. આથી જીવવિચાર જાણ્યા વિના સર્વ જીવોની આસાતનાથી બચાય નહીં. તેમાં સૌથી વધારે વિરાધના સ્થાવર જીવોની છે અને વધારે કાળ (સમય) પણ સ્થાવર જીવોની સાથે જ રહેવાનું થાય છે. તેથી સ્થાવર જીવોનું સ્વરૂપ પ્રથમ જાણવાનું અને પછી પુદ્ગલરૂપ સંસારયોગ પ્રત્યે સહજ ઉદાસીનતા લાવવા પુદ્ગલના દસ પરિણામો જાણવા અને તે માટે નવતત્વોનો અભ્યાસ પણ કરવો જરૂરી છે. પુદ્ગલના ગતિ આદિ ૧૦ પરિણામોની સંસારી જીવોને જીવવા માટે સહાય લેવી પડે પણ સિદ્ધમાં રહેલા સિદ્ધાત્માને ૧૦ માંથી એક પણ પરિણામ નથી ને છતાં આત્મા શાશ્વત જીવી શકે છે. આપણને આ નિર્ણય થાય તો આપણું કામ થાય. જેને આવો નિશ્ચય થયો તેણે સંસારને કાચી ક્ષણમાં છોડી દીધો પણ જેણે આ નિર્ણય કર્યો તેણે સંસાર છોડયો તો પણ અહીં આવીને ફરી બીજા સંસારનું સર્જન કર્યું. પર ધર્મનો આત્મા ત્યાગ કરે તો જ તે સ્વધર્મ કરી શકે, તો જ નિર્જરા કરી શકે. સ્વધર્મ એટલે સમતા, ને સમતામાં ન આવે ત્યાં સુધી નિર્જરા ન કરી શકે. તો તે ધર્મના વ્યવહારમાં જ છે. સાતા-અસાતાના પરિણામને-મમતાના પરિણામને છોડવા તે સમતા છે. સામાયિક લઈને બેઠા-શીતળ પવન આવ્યો તેને અનુભવવો નથી તો અનુકૂળતાનાં રાગને તોડવા માટે પ્રતિકૂળતા શોધવી પડે ને તેમાં પ્રતિકૂળતા ન લાગે તો સમતા આવી કહેવાય. મોહને પ્રથમ છોડવો પડે માટે સંયોગને છોડવા પડે. જેમ ચડવા માટે સીડી જરૂરી તેમ ઉપયોગમાં જવા યોગની જરૂર છે. નાની પણ ક્રિયામાં આત્માની અનુભૂતિ થાય. મોહ છૂટે એટલે આનંદ આવે જ. સહજ નિર્મળ આનંદ એ જ આત્માની અનુભૂતિ છે. આનંદની ઉર્મિઓ અંદરમાં ઉછળી જ રહી છે, એની લહેરીઓ આવી જ રહી છે પણ મોહના કારણે એ ઢંકાઈ છે ને કાં બગડી રહી છે. ભાવથી ઊર્ધ્વ ગતિ એટલે શું? પુદ્ગલ જડ છે, સંવેદના ત્યાં નથી. સંવેદના તો આત્મામાં જ છે. નિર્મળ આનંદ આત્મામાં સત્તામાં રહેલો છે એટલે આત્મવીર્ય મોહને છોડવાનું કરે તો આત્મવીર્ય સ્વગુણમાં પ્રવર્તતું થાય. અર્થાત્ આત્મિક અનુભૂતિ થાય તેમાંથી 284 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy