SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ પર જય જલારામ મ" કાંક ને માત્ર પ્રલોભનો દ્વારા પુણ્યના પોટલાની જ વાત ચાલતી હોય તો તે સંસાર પોષક વાણી છે. છોડવું જ ગમતું નથી ત્યાં સુધી ધર્મની લાયકાત જ નહીં. જડથી ભિન્ન એવો જીવધર્મ છે જડને ન છોડો તો જીવને ધર્મ મળે કઈ રીતે? જડમય બનેલા જીવને જડથી છૂટા કરી દેવાનું ને જીવમય બની જવાનું એ જ તો ધર્મ છે. કર્મ બાંધે તો જડથી છૂટે કે કર્મનો ક્ષય કરે તો? સંસારના સંયોગો છોડી ધર્મના સંયોગોમાં રહીને જ આત્મામાં રહેલો ધર્મ કરવાનો છે. સંયોગોને છોડવા માટે જીવમય બનવું એટલે જ ભાવપ્રાણ વડે જીવવું. દ્રવ્યમય બનેલા જીવેદ્રવ્યપ્રાણો સાથે ભાવપ્રાણોને જોડી દેવાના અને સાધનામાં ઉપયોગથી દ્રવ્યપ્રાણોથી છૂટી જવાનું છે ને તે વખતે આત્માનો અનુભવ થાય. મોહના પરિણામથી આત્મા છૂટી જાય ત્યારે આત્મા પોતાના સુખના અંશનો અનુભવ કરી શકે. મન-વચન-કાયા ત્રણે પુદ્ગલમય છે તેને છોડી દેવાના છે, તે છૂટે તો અનુભવ થાય. આપણે સાધન પકડયું-સામાયિક લીધુંને આપણી જાતને ધર્મી માની લીધી અને પ્રભાવના લેવા તૈયાર થઈ ગયા પણ ભાવપ્રાણ મય ન જીવ્યા. યોગથી છૂટી જવા માટે સ્વરૂપને પ્રગટ કરવાનું છે. મોહનો પરિણામ વિરૂપને પડે છે. અઘાતીના ઉદયે આત્માની અક્ષય, અરૂપી, અગુરુલઘુ અને અવ્યાબાધ આ ચાર અવસ્થા દબાણી છે તે આપણા લક્ષમાં આવવું જોઈએ. પરમાત્મામાં પણ અરૂપી આદિ સ્વરૂપના જ દર્શન કરવાના છે. સાધનાકાળમાં પરમાત્મા કાયાના ભયંકર ઉપસર્ગો કઈ રીતે સહન કરી શક્યા? કારણ નિર્ણય હતો કે મારું આત્મ સ્વરૂપ અક્ષય, અરૂપી, અગુરુલઘુ અને અવ્યાબાધ છે બાકી બધું પર છે. એમ સર્વજ્ઞના વચન દ્વારા નિર્ણય કર્યો છે. કર્મો જ આકાર-રૂપ-રંગ ફેરવ્યા તે સ્થિતિને આપણે પકડીએ છીએ તેથી તેના પરિણામવાળા બનીએ છીએ. સંગમ-કમઠ કોઈ પણ આવે પરમાત્મા પોતાનામાં મસ્ત. તમારી સામે કૂતરો આવ્યો ભસભસ કરે છે તેના પર બહુમાન આવે? નહીં આવે. આપણને બહુમાન ક્યાં? આપણને સહાયક થતા હોય, અનુકુળ થતા હોય ત્યાં. આ મોહનો પરિણામ છે અને આ વાતની આપણને જાણ પણ છે. પરમાત્માની નિર્વિકાર દષ્ટિ છે માટે તમામ જીવો પર સમાન દષ્ટિ છે. ભર શા માટે થાય?: સ્વ-પરનો નાશ થવાનો છે તેથી ભય થાય પણ સ્વરૂપનો ખ્યાલ હોય તો 282 | નવ તત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy